Tuesday, February 10, 2026

અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ XUV કાર ચલાવતા સર્જ્યો અકસ્માત, વાહનચાલકનું ઘટનાસ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત અકસ્માતની વણઝાર સર્જાઈ છે એવામાં અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં 13 વર્ષની સગીરા દ્વારા ચલાવવામાં આવેલી XUV કારના ધડાકા કારણે એક્ટિવા સવાર યુવકનું કરુણ મોત થયું હતું. આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં કુબેરનગરની માતૃછાયા સોસાયટી પાસે XUV કાર ચાલક દ્વારા ટર્ન લેતી વખતે આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં કમલેશ નૈનાની નામના યુવકનું મોત થયું હતું.XUV જેવી મોટી કાર 13 વર્ષની સગીરા ચલાવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. એક્ટિવા લઈ સોસાયટી બહાર ઉભેલા યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. પોલીસે સગીરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.જેના નામની કાર છે તેને પણ પોલીસે બોલાવીને નિવેદન લીધું છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને બચાવી શકાયું નહીં. સોસાયટીમાં XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ કાબૂ ગુમાવ્યો અને અકાળે કમલેશના જીવનનો અંત આવ્યો. ઘટનાના પગલે સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે,પોલીસે આસપાસના CCTV પણ તપાસ માટે લીધા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...