Monday, March 2, 2026

અમદાવાદમાં ફરી લિફ્ટમાં ચાર લોકો ફસાયા, ફાયરની ટીમે ભારે જહેમતે બહાર કઢાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ફરી એક વાર ચાંદખેડા વિસ્તારમાં આદિત્ય એવન્યુ નામની બિલ્ડિંગમાં બપોરના સમયે લિફ્ટમાં ચાર લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લિફ્ટનો લાકડાનો દરવાજો તોડી જાળી ખોલી અને સહી સલામત બહાર કાઢી લીધા હતા.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ્યાં 4 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ ગયા અને તે સમયે ફ્લેટમાં રહેતા દરેકના જીવ અધ્ધર આવી ગયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં મૈત્રી સર્કલ પાસે આવેલા આદિત્ય એવન્યુનો આ બનાવ છે. જ્યાં 4 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફ્લેટમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા. જોકે તુરંત આ મામલે પછી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગને ટીમને આ ઘટનાની જાણ થતાં જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.

ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન આદરી તમામ લોકોને સહી-સલામત રીતે લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક લિફ્ટ બંધ પડી જતાં લિફ્ટમાં ફસાયેલા લોકો ગભરાઇ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બહાર કાઢી લેવામાં રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનામાં ગોવિંદ પરમાર, રમીલા પરમાર, જીગ્નેશ શાહ અને તેજલ શાહ નામના ચાર સ્થાનિકો લીફ્ટમાં ફસાયા હતા. 12 કલાક 23 મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જો કે, ફાયર વિભાગની 25 મિનિટની મહેનત બાદ ચારેય લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા લિફ્ટમાંથી સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આ અગાઉ ધૂળેટીના દિવસે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ એક સોસાયટીમાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ જતાં ગભરાઇ ગઇ હતી અને બૂમરાડ મચી જવા પામી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ જતાં દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...