Monday, September 15, 2025

અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં ઇમ્પેક્ટ ફીના લોક દરબાર યોજાશે, આ કારણે નવી તારીખ જાહેર કરાઈ

Share

Share

અમદાવાદ : ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા ઈમ્પેકટ ફીનો કાયદો રાજય સરકારે અમલમાં મુકયો છે. ઇમ્પેક્ટ ફી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા યોજાનારા લોક દરબાર અંગે ભાજપના સત્તાધીશો સાથે સંકલન કર્યા વિના તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેથી ભાજપના નેતાઓની નારાજગીના પગલે તારીખો બદલવામાં આવી છે. હવે એપ્રિલ મહિનાની 9 એપ્રિલથી લઈ અને 2 મે સુધી અલગ અલગ તારીખે અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં લોક દરબારની તારીખ નવેસરથી જાહેર કરવા સૂચના આપતા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં હવેથી 9 એપ્રિલથી લઈને 2 મે સુધી દરેક ઝોનમાં બે તબક્કામાં લોક દરબાર યોજાશે. દરેક ઝોનમાં કુલ ચાર દિવસ માટે આ લોક દરબાર યોજાશે જેમાં જે પણ વ્યક્તિએ ઓક્ટોબર 2022 પહેલા પોતાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને ઇમ્પેક્ટ ફીના નિયમ કાયદા મુજબ કાયદેસર કરાવી શકાશે.અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા મ્યુનિ.તંત્રને મળેલી અરજીઓ પૈકી 11,599 અરજીઓ પેન્ડિંગ છે.

આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજાવાનો હતો.

લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફતે ભાજપના સત્તાધીશોને જાણ થતાં રોષ ફેલાયો હતો. મ્યુનિસિપલ કમિશનરથી લઇ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ મામલે તેઓએ ધ્યાન દોરી અને પૂછ્યા વિના જ તારીખો જાહેર કરી દેવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...