Wednesday, January 14, 2026

ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટના નિયમો બદલાયા, હવેથી આ લોકોને મંજૂરની નહિ પડે જરૂર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં એકમાત્ર ગિફ્ટ સિટી છે જ્યાં દારૂની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. પરંતું હવે ફરી દારૂની પરમિટમાં કેટલીક છૂટછાટ આપતા નિર્ણયો લેવામાં આવ્યો છે. આ કારણે ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારુ પીવાની છૂટ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. પહેલા કર્મચારીઓ અને તેમના મહેમાનો માટે કામચલાઉ દારૂની પરમિટ માટે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. પરંતું હવે નવા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, 15 એપ્રિલ, 2025 થી હવે કર્મચારીઓ અને મુલાકાતીઓને વધુ છુટછાટ આપવામાં આવી છે. હવે કર્મચારી જાતે જ પરમિટ મેળવી શકશે.

હવેથી કર્મચારી પોતે જ 5 લોકોની વિગત સાથેનું ફોર્મ ભરી દારૂની પરમિટ અપાવી શકશે. ગ્રુપ પરમીટમાં જેની પાસે મંજૂરી છે તેમણે અલગથી મંજૂરી લેવાની જરૂરી નથી. ગ્રુપ પરમીટમાં હવે પોતાની કંપનીમાં પણ દારૂનું સેવન કરી શકાશે. અગાઉ કંપનીના એચ આર જેની ભલામણ કરે તેને જ 2 વર્ષની પરમિટ આપવાની જોગવાઈ હતી. કંપનીના મુલાકાતીઓ માટે પણ એચ આરની ભલામણ ચિઠ્ઠીની જોગવાઈ હતી. ગ્રુપ પરમીટમાં ગિફ્ટ સિટીમાં માત્ર 2 જ સ્થળે છૂટછાટ હતી.

ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...