Wednesday, April 29, 2026

અમદાવાદમાં 100થી વધુ લોકો ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું તપાસમાં ખુલ્યું, તમામને ડિપોર્ટ કરાશે

spot_img
Share

અમદાવાદ : આજે ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસ તપાસ દરમિયાન 100થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે. આ આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેમના પોલીસ વિરીફિકેશનની પણ તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો બે થી ત્રણ જગ્યાએથી ડિપોર્ટ થયા બાદ અમદાવાદ આવી ચંડોળા તળાવ આસપાસ વસી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે કે જેમાં 150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડિપોર્ટ કર્યા છતાં બાંગ્લાદેશીઓ પરત આવ્યાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ 51 ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કર્યા હતા. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે. ગેરકાયદે રહેતા લોકો કેટલા સમયથી ક્યાં રહે છે. કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસ ટીમ આ બધા લોકોના દસ્તાવેજો તપાસી રહી છે. અમદાવાદમાંથી 890 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી, વડોદરામાંથી 500 બાંગ્લાદેશીઓ પકડાયા અને રાજકોટમાંથી 10 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...