અમદાવાદ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ખૂબ વધી ગયો છે. આ સ્થિતિમાં બંને દેશો વચ્ચે યુદ્ધની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રોક AIને પૂછવામાં આવી રહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે? AI ગ્રોકે બંને દેશોની વ્યૂહાત્મક શક્તિ, પરમાણુ શસ્ત્રો અને ઐતિહાસિક તથ્યોનો ઉલ્લેખ કરીને ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો છે. આ સિવાય તેને એમ પણ જણાવ્યું કે જો યુદ્ધ થાય તો કયા દેશને વધુ નુકસાન થશે?
મીડિયા રિપોર્ટ મુજબ, ગ્રોક AI એ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ખૂબ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અને આ વિશ્લેષણ ફક્ત ઉપલબ્ધ માહિતી અને અંદાજો પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય યુદ્ધને પ્રોત્સાહન આપવાનો કે કોઈપણ રીતે પક્ષપાત દર્શાવવાનો નથી.
@grok अगर भारत और पाकिस्तान मे युद्ध हो तो कौन सा देश जीतेगा? सारे कारको का विवरण देते हुए एक सही निष्कर्ष दें।
— Naina Singh 💮 (@nainasingh1992) April 27, 2025
AI અનુસાર, ભારતમાં લગભગ 14.5 લાખ સક્રિય સૈનિકો છે, જે તેને વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એક બનાવે છે. આ ઉપરાંત, ભારતમાં વિશાળ રિઝર્વ ફોર્સ અને અર્ધલશ્કરી દળો પણ છે. તેની સરખામણીમાં, પાકિસ્તાન પાસે લગભગ 6.5 લાખ સક્રિય સૈનિકો છે, જે સંખ્યાબળમાં ભારત કરતા ઘણી ઓછી છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 મુજબ, ભારત સૈન્યની દ્રષ્ટિએ ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 12 મા ક્રમે છે. સંરક્ષણ બજેટની વાત કરીએ તો, 2025માં ભારતનું સંરક્ષણ બજેટ લગભગ 58-75 બિલિયન ડોલર છે, જે તેને અદ્યતન શસ્ત્રો અને ટેકનોલોજીમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. જ્યારે પાકિસ્તાનનું બજેટ 7.6-11 બિલિયન ડોલર છે, જે ભારત કરતા ઘણું ઓછું છે. આ સૂચવે છે કે પાકિસ્તાન લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ લડવા માટે આર્થિક રીતે સક્ષમ નથી.
सही आंकड़े: भारत का सैन्य बल विश्व में चौथे स्थान पर (पावर इंडेक्स 0.1184), पाकिस्तान 12वें पर (0.2513)। भारत के पास 14 लाख सैनिक, 4201 टैंक, 2229 विमान, 293 नौसैनिक जहाज, और 130-140 परमाणु हथियार। पाकिस्तान के पास 6.54 लाख सैनिक, 2627 टैंक, 1399 विमान, 121 नौसैनिक जहाज, और…
— Grok (@grok) April 25, 2025
GROK મુજબ, ભારત પાસે આધુનિક ફાઇટર એરક્રાફ્ટ (રાફેલ, સુખોઈ-30), સ્વદેશી મિસાઇલો (બ્રહ્મોસ, અગ્નિ), અદ્યતન ટેન્ક (અર્જુન) અને નૌકાદળમાં એરક્રાફ્ટ કેરિયર (આઈએનએસ વિક્રાંત) છે. ભારતની સાયબર યુદ્ધ અને અવકાશ યુદ્ધ ક્ષમતાઓ પણ વધી રહી છે. પાકિસ્તાન પાસે J-17, F-16, અલ-ખાલિદ ટેન્ક અને ક્રુઝ મિસાઇલ (બાબર) જેવા હથિયારો છે. તેની નૌકાદળ ભારત કરતા નાની છે. આ પાસામાં પણ ભારત પાકિસ્તાન કરતાં આગળ છે.
भारत और पाकिस्तान की सैन्य ताकत की तुलना (2025):
1. भारत: 14.55 लाख सक्रिय सैनिक, 75 अरब डॉलर बजट, 2229 विमान, 293 नौसैनिक जहाज, 4201 टैंक, 164 परमाणु हथियार।
2. पाकिस्तान: 6.54 लाख सैनिक, 7.64 अरब डॉलर बजट, 1399 विमान, 121 नौसैनिक जहाज, 2627 टैंक, 162 परमाणु हथियार।
– भारत…— Grok (@grok) April 26, 2025
પરમાણુ શક્તિની દ્રષ્ટિએ, ભારત પાસે 150-200 પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ છે. ભારત પરમાણુ શસ્ત્રો અંગે ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલો ઉપયોગ નહીં) નીતિ પર કામ કરે છે, એટલે કે તે પહેલા પરમાણુ હુમલો નહીં કરે. બીજી તરફ, પાકિસ્તાન પાસે 165-200 પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ છે અને તેની નીતિમાં ‘પહેલા ઉપયોગ’ (ફર્સ્ટ યુઝ) નો વિકલ્પ સામેલ છે. આનો અર્થ એ થયો કે જો પાકિસ્તાન પોતાની જાતને ધમકી હેઠળ માને, તો તે પહેલા પરમાણુ હુમલો કરી શકે છે, જે પરમાણુ યુદ્ધનો ખતરો વધારે છે.
@grok अगर भारत पाकिस्तान युद्ध हुआ तो कौन जीतेगा और इसके परिणाम क्या-क्या होंगे विस्तार से जानकारी दो कोई १५ परिणाम??
— Shivam shrivas (@Shivam7Shrivas) April 26, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947-48, 1965, 1971 અને 1999માં ચાર મોટા યુદ્ધો થયા છે. આ તમામ યુદ્ધોના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે ભારતે દરેક વખતે પાકિસ્તાનને હરાવ્યું છે અને સૈન્ય દ્રષ્ટિએ ભારતનો હાથ ઉપર રહ્યો છે. 1971ના યુદ્ધમાં તો ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશનું નિર્માણ કરાવ્યું હતું.
જો પરમાણુ યુદ્ધ થાય તો કોણ જીતશે? GROKનો ચોંકાવનારો જવાબ:
સૈન્ય શક્તિ અને ઐતિહાસિક તથ્યોના આધારે ભારતનો હાથ ઉપર હોવા છતાં, GROK એ પરમાણુ શસ્ત્રોની ઉપસ્થિતિને કારણે યુદ્ધના પરિણામ અંગે અત્યંત ચોંકાવનારો જવાબ આપ્યો છે. GROK એ જણાવ્યું કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, જે કોઈપણ યુદ્ધને વિનાશક બનાવી શકે છે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ અને પાકિસ્તાનની ‘ફર્સ્ટ યુઝ’ નીતિને કારણે પરમાણુ યુદ્ધનો ખતરો વધે છે.
@grok पाकिस्तान भारत को परमाणु बम गिराने की धमकी देता है, भारत के सामने वह कितना टिक पाएगा…
— गोविन्द यादव (@govindyadav426) April 28, 2025
GROK નો સ્પષ્ટ મત છે કે, જો પરમાણુ યુદ્ધ થાય તો બંને દેશોને ભારે નુકસાન થશે અને લાખો લોકો મૃત્યુ પામી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જો બંને દેશો પરમાણુ હુમલો કરે તો કોઈની જીત થશે નહીં, બલ્કે બંને દેશોનો નાશ થશે. પ્રાદેશિક સ્થિરતા સંપૂર્ણપણે તૂટી જશે અને બંને દેશોને અકલ્પનીય નુકસાન થશે.
આમ, AI મોડેલ GROKના વિશ્લેષણ મુજબ, પરંપરાગત યુદ્ધમાં ભલે ભારત પાકિસ્તાન કરતાં વધુ મજબૂત હોય અને ઇતિહાસમાં પણ તેનો હાથ ઉપર રહ્યો હોય, પરંતુ પરમાણુ શસ્ત્રોની હાજરીને કારણે યુદ્ધનું પરિણામ વિનાશકારી જ હશે અને કોઈ વિજેતા નહીં હોય.