Tuesday, January 20, 2026

ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકશે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

spot_img
Share

અમદાવાદ: પાસપોર્ટ રિન્યુઅલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટેએ પાસપોર્ટ રિન્યુઅલને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી સામે ક્રિમિનલ કિસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકે છે.ઉચ્ચ ન્યાયાલય એ જણાવ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી કોઈ સત્તા નથી. વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં પાસપોર્ટ રિન્યુઅલ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. બંધારણનાં અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા કોર્ટે અવલોકન કર્યું કે વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર છે. આથી, વ્યક્તિ સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં હવે 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની રહેશે તેવું કોર્ટનું અવલોકન હતું. હાઈકોર્ટે કહ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી કોઈ સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ રીન્યુ કરતી હતી. અરજદાર અદાલતમાં જાય તો ત્રણથી પાંચ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા.જ્યારે, આ મુદ્દે અરજદાર અદાલતમાં જાય તો 3 થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થતા હતા.

પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટે આ કિસ્સામાં ઠેરવ્યું કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ. આ સિદ્ધાંતને લાગુ કરતા હાઇકોર્ટે આરોપીના પાસપોર્ટને દસ વર્ષ માટે રિન્યુ કરવા માટે હુકમ કર્યો છે. પાસપોર્ટ રિન્યુઅલના કેસો અને પડતર કેસોમાં આ ચુકાદો સીમાચિન્હ રૂપ બની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...