Tuesday, February 10, 2026

અમદાવાદમાં એક સાથે 5 જગ્યાએ આગની ઘટના,ફાયર વિભાગ થયું દોડતું, જાણો ક્યા ક્યા બન્યો બનાવ

spot_img
Share

અમદાવાદ : ઉનાળામાં અમદાવાદ સહિત રાજ્યમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. અમદવાદની વાત કરવામા આવે તો અમદવાદમાં આ દિવસોમાં અમદાવાદમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં આગની આ ઘટના સામે આવી છે જેમાં એક જ દિવસમાં અમદવાદમાં 5 અલગ અલગ જગ્યાએ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદમાં આગની ચાર ઘટના સામે આવી છે. મોડીરાતે એસજી હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી, જેમાં ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે. અન્યમાં રાત્રે 11:15 વાગ્યાની આસપાસ કાલુપુર વિસ્તારના ફ્રૂટ્સ માર્કેટમાં આગ લાગતાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત પ્રહલાદનગરમાં એક બિલ્ડિંગના પાર્કિગમાં આગ ભભૂકી ઊઠી હતી.

આ ઉપરાંત અમદાવાદના પ્રહલાદનગર રોડ પર વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગમાં પડેલાં વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે આઠ જેટલાં ટૂ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં પ્રહલાદનગર ફાયરની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતો. જોકે ફાયરબ્રિગેડની ટીમે પાંચ મિનિટમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે ફાયરબ્રિગેડને દસ મિનિટ પહેલાં જાણ કરી છતાં પણ ઝડપથી ગાડી આવી નહોતી.

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જીઆઇડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.

આ ઉપરાંત બાપુનગરમાં પણ આગની ઘટના સામે આવી છે.બાપુનગર વિસ્તારમાં કારમાં આગનો બનાવ સામે આવ્યો છે જ્યારે ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ કાટમાળમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...