Thursday, February 19, 2026

અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત; નહીંતર AMC પાણી-ગટરના કનેક્શન કાપી જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શ્વાને પાળવા હવે ખુબ જ મુશ્કેલ સાબિત થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઇ ચુકી છે. જે અંગેનાં નિયમો પણ કોર્પોરેશન દ્વારા કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે. જેના અંતર્ગત તમારા શ્વાનથી જો કોઇને એક ખરોચ પણ આવી તો તમારા શ્વાન તો ઠીક તમારા પર પણ તંત્ર તુટી પડશે.

મ્યુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ ડોગ્સ રજિસ્ટ્રેશન ફરિજીયાત કરવું પડશે. સમય મર્યાદામાં અનુસાર નોંધણી થશે નહીં તો કાર્યવાહી થશે.મ્યુ ચેરમેને જણાવ્યું છે કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર, નળ કનેક્શન કાપી નખાશે. જો શ્વાન માલિકની દાદાગીરી સામે આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. રજીસ્ટ્રેશન નહીં હોય તે ડોગ્સ શેલ્ટર હોમમાં મુકાશે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ શહેરના હાથીજણ વિસ્તારમાં એક 4 માસની બાળકી પર પાલતું શ્વાને હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

કેવી રીતે કરશો પાલતું શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન?
1) સૌપ્રથમ અમદાવાદ મનપાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.
2) ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર નીચે Important Linksનું સેક્શન હશે.
3) જેમાં એક Pet Dog Registrationનું ઓપ્શન બતાશે, તેના પર ક્લિક કરો.
4) બે ઓપ્શન બતાશે, તેમાં Login for Pet Dog Registration પર જાઓ.
5) જેમાં અરજદારનું નામ, અરજદારનો મોબાઈલ નંબર અને કેપ્ચા સબમીટ કરો.
6) ત્યારબાદ મોબાઈલ પર OTP આવશે તે એન્ટર કરતા એક લિંક ખુલશે.
7) જેમાં પાલતું શ્વાનના માલિકની ઓળખણના પુરાવા એન્ટર કરો.
8) તેના પછી PAY પર ક્લિક કરીને રૂ.200 રજિસ્ટ્રેશન ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...