Thursday, November 13, 2025

તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? રીડેવલપમેન્ટને લઈને રહીશોએ રજૂઆત કરતા હાઉસીંગ કમિશ્નરનું અમાનવીય વર્તન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટને લઈને રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને મુખ્યમંત્રીથી લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર સુધી રજૂઆત કરી ચૂક્યું છે ત્યારે આજે બપોરે મોટી સંખ્યામાં રહીશો હાઉસીંગ બોર્ડના કમિશ્નરને રજૂઆત કરવા ગયા ત્યારે રહીશોને તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? કહેતા સમગ્ર મામલો બિચક્યો હતો અને વાતાવરણ એક સમયે તંગ બની ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મંગળવારે મોટેભાગે ગાંધીનગર ખાતે હાજર રહેતા કમિશ્નર પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે હાજર હોવાનો સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હાઉસીંગના રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને કમિશ્નરને રજુઆત માટે પહોંચ્યા હતા. રહીશો સાથેની મુલાકાત દરમ્યાન રજૂઆત બંન્ને બાજુ ઉગ્ર થતા હાઉસીંગ કમિશ્નર દ્વારા તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? પૂછતાં મામલો બિચક્યો હતો અને રહીશો અકળાયા હતા. વધુમાં રજુઆત દરમ્યાન એક રહીશને શારીરીક ચેષ્ટાની સાંકેતીક રીતે તથા મોઢેથી અપશબ્દો બોલી અપમાનીત પણ કર્યા હોવાનો આરોપ રહીશો દ્વારા લગાવાયો છે.

સમગ્ર મામલે હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ અપમાન સમગ્ર હાઉસીંગના રહીશોનું છે ! જેના કારણે હાજર બધા રહીશોએ કમિશ્નર માફી માંગે તેવા સૂત્રો બોલાવ્યા હતા, તથા હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે નીચે બેસીને રામધૂન બોલાવી હતી, કમીશ્નરને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના કરી હતી અને પોલીસીમાં પ્રજાલક્ષી ફેરફારની માંગ કરી હતી.

હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ વર્ષના વરસાદી વાતાવરણમાં કેટલીક આવી જૂની વસાહતોમાં છત-ધાબા પડી રહ્યા છે અને રહીશો ડરમાં જીવી રહ્યા છે, અને જો કોઈ સરકારી કચેરીની જગ્યાએ રજૂઆત કરવા જાય તો ગાળો સાંભળવી પડે છે. સ્થાનીક રાજકીય નેતાઓને પણ ઘણા સમયથી અનેક રજૂઆતો કરી છે પણ પરિણામ ઝીરો છે ? અધિકારીઓ નેતાઓ પર છોડે કે સરકારની પોલીસી છે સરકાર પાસે જાઓ અને નેતાઓ અધિકારી પર છોડે છે કે તેઓ યોગ્ય રીતે કામ કરતા નથી. ખો ખો ની રમતમાં હાઉસીંગના રહીશો પીસાઈ રહ્યા છે. કડવી પણ આ સાચી વાસ્તવિકતા છે હાઉસીંગના રહીશોની! કોણ સાંભળશે આ નિરાશ્રીત રહીશોને ?

એકતા એપાર્ટમેન્ટમાં અકસ્માતમાં કોઈના જીવ ગયા ત્યારે રિડેવલપમેન્ટ થયું, તો શું તેમ દરેક સોસાયટીમાં એવી ઘટના બનશે પછી જ બધા જાગશે, પછી જ થશે રિડેવલપમેન્ટ? પૂછે છે હાઉસીંગના રહીશ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...