Thursday, March 5, 2026

તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? રીડેવલપમેન્ટને લઈને રહીશોએ રજૂઆત કરતા હાઉસીંગ કમિશ્નરનું અમાનવીય વર્તન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટને લઈને રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને મુખ્યમંત્રીથી લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર સુધી રજૂઆત કરી ચૂક્યું છે ત્યારે આજે બપોરે મોટી સંખ્યામાં રહીશો હાઉસીંગ બોર્ડના કમિશ્નરને રજૂઆત કરવા ગયા ત્યારે રહીશોને તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? કહેતા સમગ્ર મામલો બિચક્યો હતો અને વાતાવરણ એક સમયે તંગ બની ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મંગળવારે મોટેભાગે ગાંધીનગર ખાતે હાજર રહેતા કમિશ્નર પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે હાજર હોવાનો સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હાઉસીંગના રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને કમિશ્નરને રજુઆત માટે પહોંચ્યા હતા. રહીશો સાથેની મુલાકાત દરમ્યાન રજૂઆત બંન્ને બાજુ ઉગ્ર થતા હાઉસીંગ કમિશ્નર દ્વારા તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? પૂછતાં મામલો બિચક્યો હતો અને રહીશો અકળાયા હતા. વધુમાં રજુઆત દરમ્યાન એક રહીશને શારીરીક ચેષ્ટાની સાંકેતીક રીતે તથા મોઢેથી અપશબ્દો બોલી અપમાનીત પણ કર્યા હોવાનો આરોપ રહીશો દ્વારા લગાવાયો છે.

સમગ્ર મામલે હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ અપમાન સમગ્ર હાઉસીંગના રહીશોનું છે ! જેના કારણે હાજર બધા રહીશોએ કમિશ્નર માફી માંગે તેવા સૂત્રો બોલાવ્યા હતા, તથા હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે નીચે બેસીને રામધૂન બોલાવી હતી, કમીશ્નરને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના કરી હતી અને પોલીસીમાં પ્રજાલક્ષી ફેરફારની માંગ કરી હતી.

હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ વર્ષના વરસાદી વાતાવરણમાં કેટલીક આવી જૂની વસાહતોમાં છત-ધાબા પડી રહ્યા છે અને રહીશો ડરમાં જીવી રહ્યા છે, અને જો કોઈ સરકારી કચેરીની જગ્યાએ રજૂઆત કરવા જાય તો ગાળો સાંભળવી પડે છે. સ્થાનીક રાજકીય નેતાઓને પણ ઘણા સમયથી અનેક રજૂઆતો કરી છે પણ પરિણામ ઝીરો છે ? અધિકારીઓ નેતાઓ પર છોડે કે સરકારની પોલીસી છે સરકાર પાસે જાઓ અને નેતાઓ અધિકારી પર છોડે છે કે તેઓ યોગ્ય રીતે કામ કરતા નથી. ખો ખો ની રમતમાં હાઉસીંગના રહીશો પીસાઈ રહ્યા છે. કડવી પણ આ સાચી વાસ્તવિકતા છે હાઉસીંગના રહીશોની! કોણ સાંભળશે આ નિરાશ્રીત રહીશોને ?

એકતા એપાર્ટમેન્ટમાં અકસ્માતમાં કોઈના જીવ ગયા ત્યારે રિડેવલપમેન્ટ થયું, તો શું તેમ દરેક સોસાયટીમાં એવી ઘટના બનશે પછી જ બધા જાગશે, પછી જ થશે રિડેવલપમેન્ટ? પૂછે છે હાઉસીંગના રહીશ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...