Sunday, March 1, 2026

હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફીના નિર્ણયને આવકારતા હાઉસીંગના વિવિધ મંડળો

spot_img
Share

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તારીખ 13 જુલાઇ 2022 થી 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે આ નિર્ણયને આવકારતા હાઉસીંગ રહીશોના પ્રશ્નોને લઈને લડતા વિવિધ મંડળો સરકારનો આભાર માન્યો છે. સાથે સાથે રિ-ડેવલપમેન્ટ પોલીસીમાં પણ પ્રજાલક્ષી ફેરફારની અપેક્ષા રાખી ટૂંક સમયમાં સારા પરિણામની આશા વિવિધ મંડળો રાખી રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડલ જણાવે છે કે સરકારની દસ્તાવેજનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો છે તેને આવકારે છે અને તે માટે સરકારનો આભાર પણ માને છે અને સાથે સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે કે વ્યાજ સંપૂર્ણ પણે માફ કરે અને વધારાના બાંધકામનો દંડ જે હાલમાં પ્રતિ ચોરસ મીટરના 19000 હજાર છે તે આર્થિક નબળા વર્ગોને પરવડી શકે તેમ નથી અને તો તે સરકારનાહાઉસીંગ બોર્ડના રહિશો માટેના 2007 ના પેકેજ પ્રમાણે વધારાના બાંધકામનો દંડ પ્રતિ ચોરસ મીટર રૃ.450 કરવાની માંગ કરી છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન જણાવે છે કે ગુજરાતની સંવેદનશીલ સરકારનો સમજદારી ભર્યો પ્રજાલક્ષી નિર્ણય જેના માટે ફેડરેશનના સભ્યો સરકારનો આભાર વ્યક્ત કરે છે. તથા રિ-ડેવલપમેન્ટ પોલીસીમાં પણ પ્રજાલક્ષી ફેરફારની અપેક્ષા રાખી ટૂંક સમયમાં સારા પરિણામની આશા રાખીએ છીએ એવું ફેડરેશન જણાવે છે.

આમ સૌ પ્રથમ હાઉસિંગના રહીશોનો પ્રાણ પ્રશ્ન બાકી હપ્તામાં રાહતનો નિર્ણય લેવાયો છે તેમ આવનાર સમયમાં દસ્તાવેજ, રિ-ડેવલપમેન્ટ સહિતના પ્રશ્નોના પ્રજાલક્ષી નિર્ણય લેવાય તેવી આશા ચોક્કસ રાખી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...