Thursday, January 22, 2026

નવા વાડજની આ સ્કૂલની અનોખી પહેલ, વિધાર્થીઓ અને શિક્ષકોને CPR અંગે તાલીમ અપાઈ

spot_img
Share

અમદાવાદ : આજના આધુનિક યુગમાં માનવી બેઠાડું જીવન જીવતો હોઇ જેમાં કામ કરતા, હરતા ફરતા અચાનક પડી જવું, હૃદય રોગનો હુમલો આવવો, એ સમયે વ્યક્તિને દવાખાના સુધી પહોંચાડવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ગણેશ કન્યા વિદ્યાલય કેમ્પસમાં વિધાર્થીઓ અને શિક્ષકો માટે CPR અંગે તાલીમનો કાર્યક્રમ યોજાયો.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં વિધાર્થીઓ માટે અવનવી એક્ટિવિટી કરતી નવા વાડજની ગણેશ કન્યા વિધાલય કેમ્પસમાં ગણેશ કન્યા વિદ્યાલય, ઉત્તમ હિન્દી માધ્યમિક શાળા, લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ માટે પ્રાથમિક સારવાર અને CPR અંગે તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સ્વયંસેવક સુરેશભાઈએ CPR નો અર્થ સમજાવ્યો કે જેમાં વ્યક્તિનું હૃદય બંધ પડી જાય, વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે કઈ રીતે CPR આપવું તેની પ્રત્યક્ષ સમજણ આપી. તેમજ આશરે 400 થી વધુ વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકોને જાતે કેમ CPR આપવું તે હ્યુમન બોડીના સ્ટેચ્યુ સાથેનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હુતું.

આ કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્વયંસેવક સુરેશભાઈએ CPR અંગે માર્ગદર્શન આપ્યું ખુબ ઉપયોગી રહ્યું, આટલું જ નહિ તેઓએ માત્ર વ્યવહારુ તાલીમ જ આપી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...