Tuesday, January 13, 2026

અમદાવાદીઓ સાવધાન ! હવે વાહનો જપ્ત કરાશે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈકોર્ટ કડક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માત્ર વાયદાઓ નહીં, પરિણામો જોઈએ. કોર્ટે ટ્રાફિક વિભાગને એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા અને દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર સમક્ષ રોંગ સાઇડ આવતા વાહનોને નાથવા કોર્ટની સૂચના ધ્યાને મૂકાઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે રોંગ સાઇડ ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા પોલીસ અધિકારીઓને હુકમ આપ્યો છે. જો કે કોર્ટે કહ્યું હતું FIR નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.

સરકારી વકીલે કહ્યું હતું કે અઘરી પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદ અને ભેજવાળા અને ધૂળિયા વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ ડ્રાઇવ કરે છે, અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ નાથીશું. કોર્ટ સમક્ષઅઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.

કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો. શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે તંત્રએ ટાયર કિલર લગાવ્યા હતા, તેમ છતા પરિસ્થિતિ જેમની તેમ છે. કોર્ટે કહ્યું કે, આ તમામ પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જો કાયદાનું અમલીકરણ કડક નહીં હોય તો તમને કોઈ ગાંઠશે નહીં. એફઆઈઆર નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.

સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું કે, આગામી એક સપ્તાહ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કડક કામગીરી કરશે. નિયમોનું પાલન કરાવવા માટે પેનલ્ટી, લાઇસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઇ કોર્ટે સૂચન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....