Sunday, September 20, 2026

નવા વાડજના સિદ્ધિવિનાયક મંદિર ખાતેથી પુષ્યનક્ષત્રમાં નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં અપાશે

spot_img
Share

અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?

પ્રાપ્ત વિગતો મુજબ, શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આવતીકાલથી એટલે કે 25/7/2025 ને શુક્રવારના રોજથી દર મહિને પુષ્યનક્ષત્ર દિવસે નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપાં આપવાનું આયોજન કરાયું છે, દરેક મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00 સમય દરમિયાન સૌ લોકોને તેમના બાળકો માટે લાભ લેવા શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.તમને જણાવી દઈએ કે સુવર્ણપ્રાશનના આયુર્વેદિક ટીપાં જન્મથી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે,

‘સુવર્ણ’ એટલે સોનુ અને ’પ્રાશન’ એટલે ચટાવવુ.સુવર્ણ ભસ્મ સાથે બ્રાહ્મી, શંખપુષ્પી,વસા જેવી અન્ય બુદ્ધિ શક્તિવર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકોની બુદ્ધિશકિત, યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી નિષ્ણાંત વૈદ્ય દ્વારા બનાવવામાં આવેલ સુવર્ણપ્રાશનના નિયમિત સેવન બાળકને શ્રુતધર અર્થાત્ સાંભળવા માત્રથી યાદ રાખી શકે તેવુ મેધાવી બનાવી શકે છે..

સુવર્ણપ્રાશન જન્મ થી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે…
સ્થળ – સિદ્ધિવિનાયક મંદિર, અખબારનગર સર્કલ , માનસી હોસ્પીટલ સામે, નવાવાડજ , અમદાવાદ -13
સમય- દરેક મહિના ના પુષ્યનક્ષત્ર ના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00

પુષ્યનક્ષત્રની તારીખો – 25/7/2025 (શુક્રવાર)
21/8/2025 (ગુરુવાર)
17/9/2025 (બુધવાર)
15/10/2025 (બુધવાર)
11/11/2025 (મંગળવાર)
8/12/2025 (સોમવાર )

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...