Friday, January 23, 2026

નવા વાડજના સિદ્ધિવિનાયક મંદિર ખાતેથી પુષ્યનક્ષત્રમાં નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં અપાશે

spot_img
Share

અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?

પ્રાપ્ત વિગતો મુજબ, શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આવતીકાલથી એટલે કે 25/7/2025 ને શુક્રવારના રોજથી દર મહિને પુષ્યનક્ષત્ર દિવસે નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપાં આપવાનું આયોજન કરાયું છે, દરેક મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00 સમય દરમિયાન સૌ લોકોને તેમના બાળકો માટે લાભ લેવા શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.તમને જણાવી દઈએ કે સુવર્ણપ્રાશનના આયુર્વેદિક ટીપાં જન્મથી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે,

‘સુવર્ણ’ એટલે સોનુ અને ’પ્રાશન’ એટલે ચટાવવુ.સુવર્ણ ભસ્મ સાથે બ્રાહ્મી, શંખપુષ્પી,વસા જેવી અન્ય બુદ્ધિ શક્તિવર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકોની બુદ્ધિશકિત, યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી નિષ્ણાંત વૈદ્ય દ્વારા બનાવવામાં આવેલ સુવર્ણપ્રાશનના નિયમિત સેવન બાળકને શ્રુતધર અર્થાત્ સાંભળવા માત્રથી યાદ રાખી શકે તેવુ મેધાવી બનાવી શકે છે..

સુવર્ણપ્રાશન જન્મ થી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે…
સ્થળ – સિદ્ધિવિનાયક મંદિર, અખબારનગર સર્કલ , માનસી હોસ્પીટલ સામે, નવાવાડજ , અમદાવાદ -13
સમય- દરેક મહિના ના પુષ્યનક્ષત્ર ના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00

પુષ્યનક્ષત્રની તારીખો – 25/7/2025 (શુક્રવાર)
21/8/2025 (ગુરુવાર)
17/9/2025 (બુધવાર)
15/10/2025 (બુધવાર)
11/11/2025 (મંગળવાર)
8/12/2025 (સોમવાર )

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...