Monday, April 27, 2026

નવા વાડજના સિદ્ધિવિનાયક મંદિર ખાતેથી પુષ્યનક્ષત્રમાં નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં અપાશે

spot_img
Share

અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?

પ્રાપ્ત વિગતો મુજબ, શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આવતીકાલથી એટલે કે 25/7/2025 ને શુક્રવારના રોજથી દર મહિને પુષ્યનક્ષત્ર દિવસે નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપાં આપવાનું આયોજન કરાયું છે, દરેક મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00 સમય દરમિયાન સૌ લોકોને તેમના બાળકો માટે લાભ લેવા શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.તમને જણાવી દઈએ કે સુવર્ણપ્રાશનના આયુર્વેદિક ટીપાં જન્મથી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે,

‘સુવર્ણ’ એટલે સોનુ અને ’પ્રાશન’ એટલે ચટાવવુ.સુવર્ણ ભસ્મ સાથે બ્રાહ્મી, શંખપુષ્પી,વસા જેવી અન્ય બુદ્ધિ શક્તિવર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકોની બુદ્ધિશકિત, યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી નિષ્ણાંત વૈદ્ય દ્વારા બનાવવામાં આવેલ સુવર્ણપ્રાશનના નિયમિત સેવન બાળકને શ્રુતધર અર્થાત્ સાંભળવા માત્રથી યાદ રાખી શકે તેવુ મેધાવી બનાવી શકે છે..

સુવર્ણપ્રાશન જન્મ થી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે…
સ્થળ – સિદ્ધિવિનાયક મંદિર, અખબારનગર સર્કલ , માનસી હોસ્પીટલ સામે, નવાવાડજ , અમદાવાદ -13
સમય- દરેક મહિના ના પુષ્યનક્ષત્ર ના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00

પુષ્યનક્ષત્રની તારીખો – 25/7/2025 (શુક્રવાર)
21/8/2025 (ગુરુવાર)
17/9/2025 (બુધવાર)
15/10/2025 (બુધવાર)
11/11/2025 (મંગળવાર)
8/12/2025 (સોમવાર )

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...