Wednesday, January 21, 2026

અમદાવાદમાં ભાજપના MLA અને કોર્પોરેટર પર પ્રજાએ રોષ ઠાલવ્યો, સ્થાનિકોએ હિસાબ માંગ્યો

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે કોઈ નેતાઓ ધારાસભ્ય કે સાંસદ બની જતા હોય છે ત્યારબાદ પ્રજાના પ્રશ્નોને ભૂલી જાય છે. ખુરશી મળી ગઈ એટલે તમે કોણ અને અમે કોણ ? અને જો ભૂલથી પણ કોઈ નેતા પહોંચી જાય તો પછી તે બધાએ પ્રજાના રોષનો ભોગ બનવું પડે છે. અને આવું જ કંઈક અમદાવાદમાં બન્યું છે. દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરો પ્રજા વચ્ચે પહોંચ્યા હતા. નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પહોંચ્યા અને ત્યાંના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી. અને તે બાદ સામસામે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અને મામલો વધારે બગડ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો ફોન ના ઉપડતાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. જેને કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી. જોકે, આ ઘટના બાદ લોકોને મળ્યા વિના ભાજપના નેતાઓ ફોટો પડાવીને નીકળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની હતી. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતાં હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અસારવાની જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબહેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...