Tuesday, February 10, 2026

હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને રહીશો આકરાપાણીએ : હવે ચૂંટણીમાં આ વિકલ્પો પર લડી લેવાના મુડમાં…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજમાં હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને 120થી વધુ સોસાયટી-ફ્લેટના રહીશો જર્જરિત બાંધકામને લઈને હાઉસીંગ રીડેવલપમેન્ટની માંગણી કરી રહ્યા છે જેમાં સરકારની હાઉસીંગ રિડેવલપમેન્ટ નીતિમાં રહેલી પ્રજાવિરોધી ત્રુટીઓમાં ફેરફારની માંગણીઓને હાઉસીંગ બોર્ડથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ના આવતા છેવટે લાખો રહીશો આકરાપાણીએ હોવાનું જાણવા મળ્યું છે, આવનાર ચૂંટણીમાં અન્ય વિકલ્પો જેવા કે ચૂંટણીનો બહિષ્કાર, નોટા કે વિરોધપક્ષને સમર્થન અથવા તો હાઉસીંગનો ઉમેદવાર ‘સ્વયં ઉમેદવાર’ મુદ્દે લડી લેવાના મુડમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા-૨૦૧૬માં સુધારા સહિતની માંગણીઓને લઈને હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા રિડેવલપમેન્ટ પોલિસી પ્રજાવિરોધી અને બિલ્ડરના લાભાર્થે હોવાનો આક્ષેપ કરતા કુલ પંદર મુદ્દે સુધારાઓને લઈને હાઉસીંગ બોર્ડ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત, દેખાવો, ધરણાં સહિતના લોકશાહી ઢબે આંદોલનો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા હાઉસીંગના રહીશો આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં અન્ય વિકલ્પો જેવા કે ચૂંટણીનો બહિષ્કાર, નોટા કે વિરોધપક્ષને સમર્થન અથવા તો હાઉસીંગનો ઉમેદવાર ‘સ્વયં ઉમેદવાર’ મુદ્દે વિચાર કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજમાં હાઉસીંગ મતદારો મોટી સંખ્યામાં હોવાથી જો રહીશો આ વિકલ્પો મુદ્દે આગળ વધશે તો આવનાર ચૂંટણીઓમાં ભાજપના ગઢમાં મોટું ભંગાણ સર્જાય તો કોઈ નવાઈ નહિ, હાઉસીંગના રહીશો દ્વારા અપાયેલ આ ચીમકી મુદ્દે આવનાર સમયમાં શું પડઘા પડે છે કે કોઈ સકારાત્મક પરિણામ આવે છે એ તો હવે જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...