Friday, March 6, 2026

નારણપુરામાં હાઉસિંગ બોર્ડ દ્વારા બાકી હપ્તાની ચુકવણી સહિતના પ્રશ્નોને લઈને માર્ગદર્શન કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં ગરીબ વર્ગના રહીશોને વ્યાજ માફી માટે 2007 મુજબનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત આજે નારણપુરા ખાતે આવેલ રઘુકુળ એપાર્ટમેન્ટ ખાતે બાકી હપ્તાની ચુકવણી અને વિવિધ પ્રશ્ર્નોને લઈને કેમ્પ યોજાઈ ગયો.જેમાં મોટી સંખ્યામાં રહીશોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખોલવામાં આવેલ કાઉન્ટર પર બાકી રકમ ભરી હતી.

રહીશોને હાઉસિંગ બોર્ડમાં જઈને લાઈનમાં ઉભું રહેવું ના પડે અને ઘરઆંગણે બાકી હપ્તાની રકમ હોય કે કોઈ પ્રશ્ન હોય તો તેના નિવારણ માટે તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોટી સંખ્યામાં રહીશોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખોલવામાં આવેલ કાઉન્ટર પર બાકી રકમ ભરી લાભ લીધો હતો. આ કેમ્પનો શુભારંભ પૂર્વ મહેસુલ મંત્રી તથા નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ પટેલ દ્વારા કરાયો હતો.આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો, રઘુકુળ એપાર્ટમેન્ટના એસોસિએશન સભ્યો અને ગુજરાત હાઉસિંગ વસાહતના મંડળના સભ્યો તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હાઉસિંગ વસાહતના મંડળના સભ્યો દ્વારા રિડેવલપમેન્ટને લઈને ઉભી થયેલ અડચણો દૂર થાય તે માટે રજૂઆત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...