Friday, March 6, 2026

વરસાદ બાદ હાઉસીંગ મકાનોમાં ધાબાની છત પડવાની ઘટનાઓ વધી, રિડેવલપમેન્ટ માંગ તેજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વરસાદે વિરામે લેતા શહેરમાં જેમ ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે એ પ્રમાણે હાઉસીંગ સોસાયટીઓમાં સ્લેબ, પાણીની ટાંકી, ગેલેરી વગેરે તૂટી પડવાનો સિલસિલો પણ શરૂ થયો છે. આજે રવિવારે શહેરમાં બે અલગ અલગ ઘટનાઓમાં ધાબાની સિલિંગ પડવાની ઘટનાઓમાં એક વૃદ્ધ બેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

પ્રથમ ઘટનામાં રવિવારે નારણપુરાના શિવાલય એપાર્ટમેન્ટ ખાતે ધાબાની સીલિંગ પડી જવાથી એક વૃદ્ધ બેનને સામાન્ય ઇજા પહોંચેલ હતી. સ્થાનિકોએ 108 બોલાવી બેનને હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે બીજી ઘટનામાં નવા વાડજમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં પણ ધાબાની સીલિંગનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો.જો કે અહીં કોઈને ઈજાઓના સમાચાર નથી.

અમદાવાદમાં વરસાદ બાદ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં આવા બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ હાઉસિંગ બોર્ડના રહીશો માટે લાલબત્તી સમાન છે. આવી કોઈ મોટી ઘટના બને તે પહેલા રહીશો, એસોસિયેશન અને સરકારે ચેતી જવાની જરૂર છે. હાઉસીંગના રહીશો માટે રિડેવલપમેન્ટ કરવું ખુબ જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...