Friday, October 3, 2025

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન બાળકોને મળશે ફ્રી-એન્ટ્રી

Share

અમદાવાદ : ગુજરાત Ecological Education and Research-Gir Foundation દ્વારા ગાંધીનગર ખાતે જુદી-જુદી થીમ સાથે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-2025’ ઉજવવામાં આવશે. ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર સુધી કાંકરિયા સંગ્રહાલયમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.બાળકોને શૈક્ષણિક હેતુથી વન્ય પ્રાણીઓ પ્રત્યેનું જ્ઞાન મળી રહે તે હેતુથી ટેબલ શો તથા ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના હેઠળ જાણકારી અપાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકો માટે અમદાવાદના કાંકરિયા સંગ્રહાલયમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી મફતમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દર વર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે. તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે બાળકો માટે વાઈલ્ડ લાઈફ થીમ આધારીત ક્વીઝ, પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતની વિવિધ શૈક્ષણિક ગેમ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાંકરિયાનું જૂનું બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે. અહીં બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝ ને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યું છે.તાજેતરમાં જ કાંકરિયા પરિસરમાં નવીનીકરણ કરાયેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે અવનવી રાઈડ્સ તેમજ સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ વગેરે એક્ટિવિટી ઉમેરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...