Friday, October 3, 2025

અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારીને રૂપિયા 2 હજાર કરાઈ, જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા

Share

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે. 1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે.શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. જે સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 18596 પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં AMC દ્વારા આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે.1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે. શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. જે સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 18596 પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.

શહેરમાં સૌથી વઘુ 3559 લેબ્રાડોર અને 1359 જર્મન શેફર્ડ પેટ ડોગની નોંધણી કરાઈ છે. પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાતા કોર્પોરેશનની ટીમ હવે ઘેર ઘેર જઈ તપાસ કરશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને નોટિસ આપશે.રેબીસ ફ્રી અમદાવાદ શહેર-2030 માટેની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાં માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે.

તમને જણાવી દઈએ કે મે મહીનામાં રામોલ-હાથીજણ વોર્ડમા આવેલી રાધે રેસીડેન્સીમાં રોટ વીલર નામના પાલતુ કૂતરાંએ ચાર માસની બાળકી ઉપર હૂમલો કરતા તેનુ મોત થયુ હતુ.આ ઘટના પછી કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ ડોગ રાખતા માલિકો તેમના પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરે.તેને વેકસિન અપાવે એ સહીતની અન્ય બાબતને લઈ લોકોને જાગૃત કરવા કાર્યક્રમ પણ કરાયા હતા.

આમ છતાં શહેરમાં પાલતુ કૂતરાં રાખનારા માલિકો દ્વારા પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશનને લઈ કોઈ ખાસ રસ બતાવવામાં આવ્યો નથી.31 ડિસેમ્બર સુધી પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રૂપિયા બે હજાર રજિસ્ટ્રેશન ફી અમલમાં રહેશે.જે પછી ફીમાં વધારો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...