Friday, March 6, 2026

અમદાવાદના રિક્ષાચાલકની પ્રામાણિકતા જુઓ : NRI મહિલાને આઈફોન અને 5 હજાર રોકડા ભરેલું પર્સ ચાલકે પરત કર્યું

spot_img
Share

અમદાવાદ : હાલમાં જ અમદાવાદ શહેરમાં એક રિક્ષાચાલક પ્રામાણિકતાનો ઉમદા કિસ્સો જોવા મળ્યો. આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે, આવું કંઈ રીતે શક્ય બની શકે. અમેરિકાથી અમદાવાદ આવેલી NRI મહિલા રિક્ષામાં તેના સંબંધીને ત્યાં જતી વખતે દોઢ લાખનો આઈફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીઓનો ઝુડો ભરેલું પર્સ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ હતી. જો કે રિક્ષાચાલકે પ્રમાણિક્તા બતાવી મહિલાને પર્સ પાછું આપી દીધુ હતું.

ગત સોમવારે રાતે રમેશ પટેલ નામના રિક્ષાચાલક નારણપુરામાં હતા ત્યારે એક 55 વર્ષીય મહિલા તેમની રિક્ષામાં બેઠી હતી. બાદમાં રમેશભાઈ રિક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા, ત્યારબાદ રિક્ષામાં રમેશભાઈને પર્સ મળી આવતા પોતાની પાસે રાખ્યું હતું, પર્સની અંદર 1.50 લાખનો આઈફોન, પાંચ હજાર રોકડા અને ઘરની ચાવીઓ જ હતી. જેથી રમેશભાઈએ મોબાઈલ તેમની પાસે રાખ્યો હતો.

થોડા સમય પછી જે મહિલાનું પર્સ હતું તેનો તે નંબર પર ફોન આવતા રમેશભાઈએ તેમનો સામાન રિક્ષામાં ભૂલીને જતાં રહ્યાં હોવાનું જણાવી, રમેશભાઈએ પર્સ લેવા માટે મહિલાને કાલુપુર બોલાવીને મહિલાને પર્સ પરત સોંપ્યું હતું. મહિલાએ પર્સ ખોલીને જોયું તો એક પણ વસ્તુ આઘીપાછી થઈ ન હતી. મહિલાએ રિક્ષાચાલકનો આભાર માન્યો હતો. ​​​​​​​મહિલાને તેનું પર્સ પરત મળતા તેણે ખુશ થઈને રૂ.1 હજાર રિક્ષાચાલકને આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...