Friday, November 14, 2025

અમદાવાદના રિક્ષાચાલકની પ્રામાણિકતા જુઓ : NRI મહિલાને આઈફોન અને 5 હજાર રોકડા ભરેલું પર્સ ચાલકે પરત કર્યું

spot_img
Share

અમદાવાદ : હાલમાં જ અમદાવાદ શહેરમાં એક રિક્ષાચાલક પ્રામાણિકતાનો ઉમદા કિસ્સો જોવા મળ્યો. આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે, આવું કંઈ રીતે શક્ય બની શકે. અમેરિકાથી અમદાવાદ આવેલી NRI મહિલા રિક્ષામાં તેના સંબંધીને ત્યાં જતી વખતે દોઢ લાખનો આઈફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીઓનો ઝુડો ભરેલું પર્સ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ હતી. જો કે રિક્ષાચાલકે પ્રમાણિક્તા બતાવી મહિલાને પર્સ પાછું આપી દીધુ હતું.

ગત સોમવારે રાતે રમેશ પટેલ નામના રિક્ષાચાલક નારણપુરામાં હતા ત્યારે એક 55 વર્ષીય મહિલા તેમની રિક્ષામાં બેઠી હતી. બાદમાં રમેશભાઈ રિક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા, ત્યારબાદ રિક્ષામાં રમેશભાઈને પર્સ મળી આવતા પોતાની પાસે રાખ્યું હતું, પર્સની અંદર 1.50 લાખનો આઈફોન, પાંચ હજાર રોકડા અને ઘરની ચાવીઓ જ હતી. જેથી રમેશભાઈએ મોબાઈલ તેમની પાસે રાખ્યો હતો.

થોડા સમય પછી જે મહિલાનું પર્સ હતું તેનો તે નંબર પર ફોન આવતા રમેશભાઈએ તેમનો સામાન રિક્ષામાં ભૂલીને જતાં રહ્યાં હોવાનું જણાવી, રમેશભાઈએ પર્સ લેવા માટે મહિલાને કાલુપુર બોલાવીને મહિલાને પર્સ પરત સોંપ્યું હતું. મહિલાએ પર્સ ખોલીને જોયું તો એક પણ વસ્તુ આઘીપાછી થઈ ન હતી. મહિલાએ રિક્ષાચાલકનો આભાર માન્યો હતો. ​​​​​​​મહિલાને તેનું પર્સ પરત મળતા તેણે ખુશ થઈને રૂ.1 હજાર રિક્ષાચાલકને આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...