Saturday, February 7, 2026

નવા વાડજમાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને તેની આસપાસમાં મહિલાઓને લઈને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો. નવા વાડજમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે તારીખ-21 /8 /2022 ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉદઘાટન પ્રમુખ જયશ્રીબેન અજય કુમાર પંચાલ તથા મંત્રી નિકિતાબેન જનકભાઈ પંચાલ, ઉપપ્રમુખ મોનાબેન વિપુલભાઈ પંચાલ અને સહમંત્રી પારૂલબેન ધર્મેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સમાજના વડીલો અગ્રણીઓ તથા આમંત્રિત મહેમાનો અને સખી સહેલી મંડળની સહેલીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદઘાટન પ્રસંગે પ્રમુખ જયશ્રીબેન પંચાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બહેનોને સરકાર તરફથી જે પણ યોજનાઓ છે તેના વિશે સમજાવી અને તેના મળવામાં પાત્ર લાભથી માહિતગાર કરશે. આ સિવાય બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ભરતગુંથણ સિલાઈ વર્ક, ચોકલેટ મેકિંગ, પેપર બેગ મેકિંગ, કેન્ડલ મેકિંગ, તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર જેવા ક્લાસીસની શરૂઆત કરશે. કુદરતી આફત સમયે અનાજ કીટ વિતરણ, ફૂડ પેકેટ તેમજ મેડિકલ સહાય જેવા સદકાર્યો પણ કરશે. બહેનો માટે ફાઇનાન્સિયલ અવેરનેસ માટેનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે.

આ સિવાય ઓનલાઇન ફ્રોડથી બચવા માટેની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોને ફાયર સેફ્ટીની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોના સ્ત્રી રોગ જાગૃતિ અભિયાન માટેની પણ શિબિર યોજી ટ્રેનિંગ આપવામાં આવશે. જીવનમાં ઇન્સ્યોરન્સનું શું મહત્વ છે તેના વિશે પણ સમજણ આપવામાં આવશે. આવી ઘણી બધી યોજનાઓ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં કરવા જઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...