Tuesday, November 11, 2025

નવા વાડજમાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને તેની આસપાસમાં મહિલાઓને લઈને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો. નવા વાડજમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે તારીખ-21 /8 /2022 ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉદઘાટન પ્રમુખ જયશ્રીબેન અજય કુમાર પંચાલ તથા મંત્રી નિકિતાબેન જનકભાઈ પંચાલ, ઉપપ્રમુખ મોનાબેન વિપુલભાઈ પંચાલ અને સહમંત્રી પારૂલબેન ધર્મેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સમાજના વડીલો અગ્રણીઓ તથા આમંત્રિત મહેમાનો અને સખી સહેલી મંડળની સહેલીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદઘાટન પ્રસંગે પ્રમુખ જયશ્રીબેન પંચાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બહેનોને સરકાર તરફથી જે પણ યોજનાઓ છે તેના વિશે સમજાવી અને તેના મળવામાં પાત્ર લાભથી માહિતગાર કરશે. આ સિવાય બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ભરતગુંથણ સિલાઈ વર્ક, ચોકલેટ મેકિંગ, પેપર બેગ મેકિંગ, કેન્ડલ મેકિંગ, તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર જેવા ક્લાસીસની શરૂઆત કરશે. કુદરતી આફત સમયે અનાજ કીટ વિતરણ, ફૂડ પેકેટ તેમજ મેડિકલ સહાય જેવા સદકાર્યો પણ કરશે. બહેનો માટે ફાઇનાન્સિયલ અવેરનેસ માટેનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે.

આ સિવાય ઓનલાઇન ફ્રોડથી બચવા માટેની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોને ફાયર સેફ્ટીની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોના સ્ત્રી રોગ જાગૃતિ અભિયાન માટેની પણ શિબિર યોજી ટ્રેનિંગ આપવામાં આવશે. જીવનમાં ઇન્સ્યોરન્સનું શું મહત્વ છે તેના વિશે પણ સમજણ આપવામાં આવશે. આવી ઘણી બધી યોજનાઓ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં કરવા જઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...