Sunday, February 8, 2026

ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરના કારણે બે ટ્રક વચ્ચે થયો અકસ્માત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સ્માર્ટ સિટીમાં રખડતા ઢોર હવે બ્રિજ ઉપર પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના ઝાયડસ બ્રિજ પર ભેંસના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અક્સમાતમાં એક ટ્રક પલટી ગઈ. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને સારવાર માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરી છતા રખડતા ઢોર પર નિયંત્રણ નથી.ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.

હાઈકોર્ટના આદેશ બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમની સંખ્યા સાત થી વધારીને એકવીસ કરવામાં આવી છે.એક ટીમમાં કેટલ કેચીંગ મજુર સહિત અંદાજે દસ કર્મચારીઓના કાફલાને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.૨૧ ટીમ રખડતા ઢોર પકડી શકે એ માટે ૯૫ થી વધુ વાહન ઉપયોગમાં લેવામાં આવી રહયા છે.પોલીસ ઉપરાંત એસ.આર.પી.ના વાહનોની પણ મદદ લેવાઈ રહી છે.

ત્રણ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી ૫૪૦ રખડતા ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવામાં આવ્યા છે.રવિવારે દિવસ દરમિયાન ૪૩૦ કીલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવાની સાથે ચાર પેડલ રીક્ષા જપ્ત કરાઈ હતી.કામગીરીમાં અવરોધ કે ઘાસ વેચાણ પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાગડાપીઠ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.પશુઓ રખડતા કે ખુલ્લા મુકવા બદલ અત્યારસુધીમાં કુલ ૭૨ ફરિયાદ કરવામાં આવી છે.હાઈકોર્ટના આદેશ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...