Thursday, September 18, 2025

ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરના કારણે બે ટ્રક વચ્ચે થયો અકસ્માત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Share

Share

અમદાવાદ : અમદાવાદ સ્માર્ટ સિટીમાં રખડતા ઢોર હવે બ્રિજ ઉપર પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના ઝાયડસ બ્રિજ પર ભેંસના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અક્સમાતમાં એક ટ્રક પલટી ગઈ. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને સારવાર માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરી છતા રખડતા ઢોર પર નિયંત્રણ નથી.ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.

હાઈકોર્ટના આદેશ બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમની સંખ્યા સાત થી વધારીને એકવીસ કરવામાં આવી છે.એક ટીમમાં કેટલ કેચીંગ મજુર સહિત અંદાજે દસ કર્મચારીઓના કાફલાને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.૨૧ ટીમ રખડતા ઢોર પકડી શકે એ માટે ૯૫ થી વધુ વાહન ઉપયોગમાં લેવામાં આવી રહયા છે.પોલીસ ઉપરાંત એસ.આર.પી.ના વાહનોની પણ મદદ લેવાઈ રહી છે.

ત્રણ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી ૫૪૦ રખડતા ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવામાં આવ્યા છે.રવિવારે દિવસ દરમિયાન ૪૩૦ કીલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવાની સાથે ચાર પેડલ રીક્ષા જપ્ત કરાઈ હતી.કામગીરીમાં અવરોધ કે ઘાસ વેચાણ પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાગડાપીઠ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.પશુઓ રખડતા કે ખુલ્લા મુકવા બદલ અત્યારસુધીમાં કુલ ૭૨ ફરિયાદ કરવામાં આવી છે.હાઈકોર્ટના આદેશ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...