Tuesday, February 10, 2026

ગુજરાત હાઇકોર્ટની રખડતાં ઢોર મુદ્દે લાલ આંખ : ફરીવાર તંત્રને ખખડાવ્યું, ઢોરપાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં હાઈકોર્ટમાં રખડતાં ઢોર મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન એકવાર ફરી હાઈકોર્ટે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. હાઇકોર્ટે ઉધડો લેતા કહ્યું કે, ‘માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે? રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે. એક પણ કિસ્સામાં કડકાઈથી કામગીરી કરી હોય તો જણાવો. દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.’

મહત્વનું છે કે, હાઈકોર્ટે 3 દિવસમાં કામગીરી કરી રખડતાં ઢોર રોડ રસ્તા પરથી દૂર કરવા આદેશ કર્યા હતા તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્માર્ટ સિટી અમદાવાદના સેટેલાઇટ, પાંજરા પોળ અને નેહરુનગર જેવાં પોશ વિસ્તારમાં હજુ પણ લોકોને રખડતાં ઢોર પરેશાન કરી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. તંત્ર હજુ પણ રખડતા ઢોરને પકડવામાં ઢીલાશ દાખવી રહ્યું છે.

જેના લીધે હાઇકોર્ટે તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આજથી એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પાલિકાઓને સૂચન કર્યું છે. તમામ પાલિકા અને મનપાને ઢોર પકડવાની કામગીરી કરવાની હાઇકોર્ટે સૂચના આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...