Monday, December 15, 2025

અમદાવાદમાં 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ, એક્સપર્ટના ઓપિનિયન બાદ નિર્ણય

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં કુલ 16 જૂના બ્રિજ હતા જેને લઈને AMC દ્વારા અગાઉ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ તમામ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. સાથે જ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાની પણ વાત કરવામાં આવી હતી. જોકે હવે AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ બ્રિજ પર હાલ હાઈટ બેરિયર લગાવવામાં નહીં આવે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના જુના તમામ 16 બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓએ બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે બેરિયર લગાવવા માટેના રૂ. 3 કરોડના કામના ટેન્ડરને બહાર પાડ્યું હતું.

AMC દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણો તપાસવામાં આવી રહ્યાં છે. હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે AMC દ્વારા શહેરનો નહેરુ બ્રિજ, પરીક્ષિત બ્રિજ, બાબા સાહેબ આંબેડકર બ્રિજ અને કેડિલા બ્રિજ સહિતના કુલ 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાની વાત કરવામાં આવી હતી. જોકે હવે હાલ પૂરતો એએમસી દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. જેમાં હવે એક્સપર્ટના ઓપિનિયન બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે....

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...