Monday, January 19, 2026

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-આફ્રિકા T20 મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો ઓનલાઇન અને ફિઝિકલ બુકિંગ પ્રોસેસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ટી-20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે. મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો મેચની ટિકિટ લેવા માટે આવી રહ્યા છે. રૂ. 500 અને 1000ની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે અને બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહેશે. જ્યારે રૂ.2000થી ઉપરની ટિકિટ સ્ટેડિયમ ખાતેથી ફિઝિકલ પણ મેળવી શકશો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બરના રોજ શુક્રવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવવાની છે, જેની ઓનલાઇન-ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. https://in.bookmyshow.com વેબસાઈટ પરથી ઓનલાઇન ટિકિટ બુક કરી શકાય છે. જોકે રૂ.500 અને 1000ની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ પરથી મેળવી શકાશે નહીં. માત્ર ઓનલાઇન બુકિંગ કરવાની રહેશે. ટિકિટ બુક કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલા બોક્સ ઓફિસમાંથી તેમજ મોબાઇલમાંથી જે જગ્યા પરથી ટિકિટ મેળવવાનો મેસેજ આવે ત્યાંથી ટિકિટ મેળવી લેવાની રહેશે.

રૂ.2000, 2500, 4500, 8500 અને તેનાથી ઉપરની ટિકિટો ઓનલાઇન બુકિંગ અને ઓફલાઈન એમ બંને રીતે મેળવી શકાશે. જોકે, ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવી લેવાની રહેશે. જે લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે અને જેમને ખબર છે કે બોક્સઓફિસ ખાતેથી ટિકિટ મેળવવાની છે, તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના બોક્સ ઓફિસથી લેવા માટે આવી રહ્યા છે. મોટાભાગે રૂ.500 અને 1000, 4500 તેમજ 8500ની ટિકિટનું ખૂબ ઝડપથી વેચાણ થઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...