Thursday, January 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં PIને સસ્પેન્ડ કરી દેવાયાં, 77 લાખનો દારૂ પકડવા મામલે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીના કેસ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસ અગાઉ સરસપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાની બેદરકારી સામે આવી હતી જેથી પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા દિવસ પહેલા સરસપુર વિસ્તારમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતરવાની તૈયારી હતી. PCB દ્વારા 11 ડિસેમ્બરના રોજ સરસપુર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સંતરાની આડમાં એક ટ્રકમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. PCBએ સમયસર કાર્યવાહી કરતા દારૂ ઉતરવામાં આવે તે પહેલા જ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં સ્પષ્ટ થયું હતું કે શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. ચંદ્રવાડીયાની બેદરકારીને કારણે દારૂના ધંધાર્થીઓને ફાયદો થયો હતો. તેમની ફરજ દરમિયાન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર યોગ્ય નજર રાખવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી અને PI એમ.ડી. ચંદ્રવાડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...