Friday, March 6, 2026

અમદાવાદના આ વિસ્તારમાં PIને સસ્પેન્ડ કરી દેવાયાં, 77 લાખનો દારૂ પકડવા મામલે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીના કેસ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસ અગાઉ સરસપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાની બેદરકારી સામે આવી હતી જેથી પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા દિવસ પહેલા સરસપુર વિસ્તારમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતરવાની તૈયારી હતી. PCB દ્વારા 11 ડિસેમ્બરના રોજ સરસપુર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સંતરાની આડમાં એક ટ્રકમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. PCBએ સમયસર કાર્યવાહી કરતા દારૂ ઉતરવામાં આવે તે પહેલા જ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં સ્પષ્ટ થયું હતું કે શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. ચંદ્રવાડીયાની બેદરકારીને કારણે દારૂના ધંધાર્થીઓને ફાયદો થયો હતો. તેમની ફરજ દરમિયાન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર યોગ્ય નજર રાખવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી અને PI એમ.ડી. ચંદ્રવાડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...