Wednesday, January 21, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આવતીકાલે આ રસ્તાઓ બંધ, જાણો વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચના અનુસંધાને ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલશે. જે કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તા પર અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી10 મેચ આવતીકાલે તારીખ 19/12/2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે રમાનાર છે. હાઈ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.

કયા રસ્તાઓ રહેશે બંધ?
મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ.
કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ બંધ રહેશે.

નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે: 1. તપોવન સર્કલથી: ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. 2. કોટેશ્વર તરફથી: કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

કોને મળશે મુક્તિ?
સ્થાનિક રહીશોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.

ક્રિકેટ પ્રેમીઓ માટે સૂચના
મેચ જોવા આવતા હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ વાહનોનું ભારણ ઘટાડી શકાય. માર્ગ અકસ્માતો નિવારવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે તૈનાત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...