Friday, March 6, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આવતીકાલે આ રસ્તાઓ બંધ, જાણો વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચના અનુસંધાને ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલશે. જે કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તા પર અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી10 મેચ આવતીકાલે તારીખ 19/12/2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે રમાનાર છે. હાઈ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.

કયા રસ્તાઓ રહેશે બંધ?
મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ.
કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ બંધ રહેશે.

નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે: 1. તપોવન સર્કલથી: ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. 2. કોટેશ્વર તરફથી: કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

કોને મળશે મુક્તિ?
સ્થાનિક રહીશોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.

ક્રિકેટ પ્રેમીઓ માટે સૂચના
મેચ જોવા આવતા હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ વાહનોનું ભારણ ઘટાડી શકાય. માર્ગ અકસ્માતો નિવારવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે તૈનાત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...