Friday, March 6, 2026

નવા વાડજના અનેક વિસ્તારોમાંથી ઉઠ્યા ફરિયાદોના સૂર, ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમના નવા વાડજ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. કોર્પોરેશનની પાણીની લાઇનમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી નવા વાડજના અનેક વિસ્તારોમાં આવી રહ્યું છે જેના કારણે લોકો દૈનિક ઘરવપરાશ જેટલું પણ પાણી ભરી શકતા નથી. કોર્પોરેશન મફત પાણીના ટેન્કરો ઘેરઘેર પહોંચાડવામાં ઉણું ઉતર્યું છે. ત્યારે ખાનગી પાણીના ટેન્કરવાળાઓ ટેન્કર દીઠ 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ વસુલી રહ્યા છે જે ગરીબ અને મધ્યમવર્ગ માટે પડતા પર પાટું મારવા સમાન પુરવાર થઇ રહ્યું છે.

શહેરના પશ્ચિમના અનેક વિસ્તારો સહીત નવા વાડજ વિસ્તારમાં હાઉસીંગના ફ્લેટો, નંદનવન એપાર્ટમેન્ટ, ઉત્સવ એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, કેશવબાગ વાડીના બાજુમાં આવેલ વિશ્વ નંદિની ફ્લેટ, દેવપથ ફ્લેટ અને તેની આજુબાજુમાં આવેલી ચાલીઓમાં તેમજ રીંગ રોડની અનેક સોસાયટીઓમાં છેલ્લાં બે દિવસથી પાણીની તંગી પ્રવર્તી રહી છે. અનેક વિસ્તારોમાં તો કોર્પોરેશનના ટેન્કરો પહોંચી વળતા નથી, તેમાં લાંબુ વેઇટિંગ ચાલે છે. જ્યાં પાંચ ટેન્કરની જરૂર હોય ત્યાં માંડ બે ટેન્કરો પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો નાછુટકે પૈસા ખર્ચીને ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...