Thursday, September 18, 2025

નવા વાડજના અનેક વિસ્તારોમાંથી ઉઠ્યા ફરિયાદોના સૂર, ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમના નવા વાડજ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. કોર્પોરેશનની પાણીની લાઇનમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી નવા વાડજના અનેક વિસ્તારોમાં આવી રહ્યું છે જેના કારણે લોકો દૈનિક ઘરવપરાશ જેટલું પણ પાણી ભરી શકતા નથી. કોર્પોરેશન મફત પાણીના ટેન્કરો ઘેરઘેર પહોંચાડવામાં ઉણું ઉતર્યું છે. ત્યારે ખાનગી પાણીના ટેન્કરવાળાઓ ટેન્કર દીઠ 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ વસુલી રહ્યા છે જે ગરીબ અને મધ્યમવર્ગ માટે પડતા પર પાટું મારવા સમાન પુરવાર થઇ રહ્યું છે.

શહેરના પશ્ચિમના અનેક વિસ્તારો સહીત નવા વાડજ વિસ્તારમાં હાઉસીંગના ફ્લેટો, નંદનવન એપાર્ટમેન્ટ, ઉત્સવ એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, કેશવબાગ વાડીના બાજુમાં આવેલ વિશ્વ નંદિની ફ્લેટ, દેવપથ ફ્લેટ અને તેની આજુબાજુમાં આવેલી ચાલીઓમાં તેમજ રીંગ રોડની અનેક સોસાયટીઓમાં છેલ્લાં બે દિવસથી પાણીની તંગી પ્રવર્તી રહી છે. અનેક વિસ્તારોમાં તો કોર્પોરેશનના ટેન્કરો પહોંચી વળતા નથી, તેમાં લાંબુ વેઇટિંગ ચાલે છે. જ્યાં પાંચ ટેન્કરની જરૂર હોય ત્યાં માંડ બે ટેન્કરો પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો નાછુટકે પૈસા ખર્ચીને ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...