Wednesday, January 7, 2026

AMC સ્કૂલના ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને મળશે મોબાઈલ, ટેક્નૉલૉજી બચાવશે કે બગાડશે?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મનપાની સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીસભર શિક્ષણ આપવા માટે મોબાઈલ અપાશે. મનપા સ્કૂલોના 5 હજાર બાળકોને મોબાઈલ મળશે. મનપા વિદ્યાર્થીઓને 12 હજાર સુધીની કિંમતના મોબાઈલ આપશે. આ મોબાઈલ ફોન માટે અંદાજે રૂ. 6 કરોડનો ખર્ચ થશે.વિદ્યાર્થીઓ ઓફલાઇનની સાથે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.

ટેકનોલોજીના આ યુગમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ક્યાંય પાછા ન પડે તે ઉદેશ સાથે વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ બોર્ડમાં 400થી વધુ શાળાઓમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી ધોરણ 6થી 8માં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે.

સ્કૂલ બોર્ડ દ્વારા 5 હજાર જેટલા બાળકોને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. જેમને અંદાજીત 12 હજારની કિંમતનો સ્માર્ટ ફોન આપવામાં આવશે. જે માટે અંદાજીત 6 કરોડનો ખર્ચ થશે. કોરોનાની મહામારીમાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો તો સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. પણ સરકારી સ્કૂલના ગરીબ બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હતા. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...