Thursday, March 5, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની એક વર્ષમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી, જાણો કેટલા ગુનેગારોને પાસા અને તડીપાર કરાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વર્ષ 2025 દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સખત અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. “પોલીસનું સૂત્ર – સેવા, સુરક્ષા અને શાંતિ”ને સાકાર કરવા તેમજ પ્રજાસુરક્ષાની દિશામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાનો દ્રઢ સંકલ્પ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધમાં પાસા તેમજ તડિપાર જેવા પગલા લેવામાં આવતા શહેરમાં અનેક ગુનાઓ બનતા અટકી ગયા છે. શહેરમાંથી શરીર સંબંધી, મિલ્કત સંબંધી, દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃતિ કરનારા 1107 શખ્સોને પાસા કરી રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે, તેમજ 258 ગુનેગારોને તડીપાર કરી શહેરમાં શાતિનો માહોલ જાળવવામાં સફળતા મેળવી છે.

વર્ષ 2025માં પોલીસ કમિશનર જી.એસ મલિકનાં માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા દારૂ જુગારને લઈને રેડ કરવામાં આવી, જેમાં એક વર્ષમાં દારૂનાં 400 કેસ કરીને 407 આરોપીઓને પકડીને કુલ 5 કરોડ 74 લાખ 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, તદઉપરાંત જુગારનાં 70 કેસ કરી 245 જુગારીઓને પકડવામાં આવ્યા જેમાં 6 કરોડ 57 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

તેવામાં આગામી સમયમાં પણ અમદાવાદ શહેરની શાંતિને ડહોળી શકે તેવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીનાં આદેશ પોલીસ કમિશનર દ્વારા અપાયા છે, નાગરિકોની સલામતી અને સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લાગેલા સીસીટીવી કેમરા તેમજ અન્ય ટેક્નોલોજીનાં ઉપયોગની પણ સૂચના આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...