Wednesday, January 7, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની એક વર્ષમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી, જાણો કેટલા ગુનેગારોને પાસા અને તડીપાર કરાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વર્ષ 2025 દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સખત અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. “પોલીસનું સૂત્ર – સેવા, સુરક્ષા અને શાંતિ”ને સાકાર કરવા તેમજ પ્રજાસુરક્ષાની દિશામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાનો દ્રઢ સંકલ્પ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધમાં પાસા તેમજ તડિપાર જેવા પગલા લેવામાં આવતા શહેરમાં અનેક ગુનાઓ બનતા અટકી ગયા છે. શહેરમાંથી શરીર સંબંધી, મિલ્કત સંબંધી, દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃતિ કરનારા 1107 શખ્સોને પાસા કરી રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે, તેમજ 258 ગુનેગારોને તડીપાર કરી શહેરમાં શાતિનો માહોલ જાળવવામાં સફળતા મેળવી છે.

વર્ષ 2025માં પોલીસ કમિશનર જી.એસ મલિકનાં માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા દારૂ જુગારને લઈને રેડ કરવામાં આવી, જેમાં એક વર્ષમાં દારૂનાં 400 કેસ કરીને 407 આરોપીઓને પકડીને કુલ 5 કરોડ 74 લાખ 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, તદઉપરાંત જુગારનાં 70 કેસ કરી 245 જુગારીઓને પકડવામાં આવ્યા જેમાં 6 કરોડ 57 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

તેવામાં આગામી સમયમાં પણ અમદાવાદ શહેરની શાંતિને ડહોળી શકે તેવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીનાં આદેશ પોલીસ કમિશનર દ્વારા અપાયા છે, નાગરિકોની સલામતી અને સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લાગેલા સીસીટીવી કેમરા તેમજ અન્ય ટેક્નોલોજીનાં ઉપયોગની પણ સૂચના આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...