Tuesday, January 20, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની એક વર્ષમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી, જાણો કેટલા ગુનેગારોને પાસા અને તડીપાર કરાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વર્ષ 2025 દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સખત અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. “પોલીસનું સૂત્ર – સેવા, સુરક્ષા અને શાંતિ”ને સાકાર કરવા તેમજ પ્રજાસુરક્ષાની દિશામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાનો દ્રઢ સંકલ્પ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધમાં પાસા તેમજ તડિપાર જેવા પગલા લેવામાં આવતા શહેરમાં અનેક ગુનાઓ બનતા અટકી ગયા છે. શહેરમાંથી શરીર સંબંધી, મિલ્કત સંબંધી, દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃતિ કરનારા 1107 શખ્સોને પાસા કરી રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે, તેમજ 258 ગુનેગારોને તડીપાર કરી શહેરમાં શાતિનો માહોલ જાળવવામાં સફળતા મેળવી છે.

વર્ષ 2025માં પોલીસ કમિશનર જી.એસ મલિકનાં માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા દારૂ જુગારને લઈને રેડ કરવામાં આવી, જેમાં એક વર્ષમાં દારૂનાં 400 કેસ કરીને 407 આરોપીઓને પકડીને કુલ 5 કરોડ 74 લાખ 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, તદઉપરાંત જુગારનાં 70 કેસ કરી 245 જુગારીઓને પકડવામાં આવ્યા જેમાં 6 કરોડ 57 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

તેવામાં આગામી સમયમાં પણ અમદાવાદ શહેરની શાંતિને ડહોળી શકે તેવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીનાં આદેશ પોલીસ કમિશનર દ્વારા અપાયા છે, નાગરિકોની સલામતી અને સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લાગેલા સીસીટીવી કેમરા તેમજ અન્ય ટેક્નોલોજીનાં ઉપયોગની પણ સૂચના આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...