Friday, April 24, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને મુસાફરો સાથે બોલાચાલી અને ઉદ્ધત વર્તનના બનાવો ખૂબ સામાન્ય બાબત બની ગઈ. જો કે અમુક વખત આ આ બોલચાલી રિક્ષાચાલકોની દાદાગીરીમાં પરિણમે છે. ભાડાની રકજકથી માંડીને અનેક નાની નાની બાબતોમાં રિક્ષા ચાલકો મુસાફરો સાથે ગેરવર્તન કરતાં હોવાની ફરિયાદો આવી ચૂકી છે. ત્યારે આ મુદ્દે અમદાવાદમાં RPFએ રિક્ષા ચાલકોએ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન અને નિયત ભાડા કરતા વધુ વસૂલાત કરવાની ફરિયાદો સતત મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા રેલવે સુરક્ષા દળ (RPF), અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર 6 રિક્ષા જપ્ત કરવામાં આવી હતી અને સંબંધિત ચાલકો વિરુદ્ધ રેલવે અધિનિયમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોની બે અલગ અલગ ક્લિપ વાયરલ થઈ હતી, જે પૈકીની પહેલી ક્લિપમાં RPF જવાનો રિક્ષા ચાલકને મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ પાછળથી વાયરલ થયેલા બીજા વીડિયો જાણવા મળ્યું હતું કે આ બબાલની શરૂઆત રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં રિક્ષા ચાલકોએ RPF જવાનને ઘેરી લીધો હતો અને કોલર પર પકડ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...