Thursday, January 8, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને મુસાફરો સાથે બોલાચાલી અને ઉદ્ધત વર્તનના બનાવો ખૂબ સામાન્ય બાબત બની ગઈ. જો કે અમુક વખત આ આ બોલચાલી રિક્ષાચાલકોની દાદાગીરીમાં પરિણમે છે. ભાડાની રકજકથી માંડીને અનેક નાની નાની બાબતોમાં રિક્ષા ચાલકો મુસાફરો સાથે ગેરવર્તન કરતાં હોવાની ફરિયાદો આવી ચૂકી છે. ત્યારે આ મુદ્દે અમદાવાદમાં RPFએ રિક્ષા ચાલકોએ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન અને નિયત ભાડા કરતા વધુ વસૂલાત કરવાની ફરિયાદો સતત મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા રેલવે સુરક્ષા દળ (RPF), અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર 6 રિક્ષા જપ્ત કરવામાં આવી હતી અને સંબંધિત ચાલકો વિરુદ્ધ રેલવે અધિનિયમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોની બે અલગ અલગ ક્લિપ વાયરલ થઈ હતી, જે પૈકીની પહેલી ક્લિપમાં RPF જવાનો રિક્ષા ચાલકને મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ પાછળથી વાયરલ થયેલા બીજા વીડિયો જાણવા મળ્યું હતું કે આ બબાલની શરૂઆત રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં રિક્ષા ચાલકોએ RPF જવાનને ઘેરી લીધો હતો અને કોલર પર પકડ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...