Wednesday, January 21, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને મુસાફરો સાથે બોલાચાલી અને ઉદ્ધત વર્તનના બનાવો ખૂબ સામાન્ય બાબત બની ગઈ. જો કે અમુક વખત આ આ બોલચાલી રિક્ષાચાલકોની દાદાગીરીમાં પરિણમે છે. ભાડાની રકજકથી માંડીને અનેક નાની નાની બાબતોમાં રિક્ષા ચાલકો મુસાફરો સાથે ગેરવર્તન કરતાં હોવાની ફરિયાદો આવી ચૂકી છે. ત્યારે આ મુદ્દે અમદાવાદમાં RPFએ રિક્ષા ચાલકોએ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન અને નિયત ભાડા કરતા વધુ વસૂલાત કરવાની ફરિયાદો સતત મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા રેલવે સુરક્ષા દળ (RPF), અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર 6 રિક્ષા જપ્ત કરવામાં આવી હતી અને સંબંધિત ચાલકો વિરુદ્ધ રેલવે અધિનિયમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોની બે અલગ અલગ ક્લિપ વાયરલ થઈ હતી, જે પૈકીની પહેલી ક્લિપમાં RPF જવાનો રિક્ષા ચાલકને મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ પાછળથી વાયરલ થયેલા બીજા વીડિયો જાણવા મળ્યું હતું કે આ બબાલની શરૂઆત રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં રિક્ષા ચાલકોએ RPF જવાનને ઘેરી લીધો હતો અને કોલર પર પકડ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...