Thursday, September 18, 2025

રેલવેમાં મુસાફરી કરતા હોય તો આવા બંટી બબલીથી ચેતજો ! ચોર પ્રેમીપંખીડા પકડાયા

Share

Share

અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવીને રોકડ રકમ અથવા તો દાગીનાની ચોરી કરતા યુવક યુવતીની રેલવે LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા યુવક યુવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં છે અને બંને અલગ-અલગ રાજ્યોમાં રહેતા હોવાથી ટ્રેનમાં એક બીજાને મળવા આવતા અને ટ્રેનમાં મોકો મળતા જ કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા.

રેલવે LCB એ રાજસ્થાનના જયપુરમાં રહેતા વિક્રમ ગાંગડીયા અને મુંબઈની ગીતા દેવીપુજકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં રહેતા હોવાથી એકબીજાને મળવા માટે રેલવેમાં મુસાફરી કરતા હતા અને મુસાફરી દરમિયાન તકનો લાભ લઈને વૃદ્ધ કે આધેડ વયના મુસાફરો કે જેમની પાસે કિંમતી સામાન જણાઈ આવે તો તેમની નજર ચૂકવીને કિંમતી વસ્તુઓની ચોરી કરી લેતા હતા.

અમદાવાદના મોટેરા ખાતે રહેતા ઉષાબેન ધારીવાલ થોડાક દિવસો પહેલા મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરી કરતા હતા. તે સમયે ટ્રેનમાં બેસતા વખતે ભીડનો લાભ લઈ તેમના પાકીટમાં મુકેલા દાગીનાની ચોરી થઈ હતી.જેમાં સોનાનો હાર, બિસ્કીટ સહિત મંગળસૂત્ર મળીને 4.61 લાખની કિંમતના દાગીના ચોરી થતા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ઘટના સમયના CCTV ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ મામલે રેલવે LCB એ સારંગપુરમાં આવેલી શિવગંગા હોટલમાંથી ઘટના સમયના CCTV ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ યુવક યુવતી મળી આવ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી અને પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ દેવીપૂજક જયપુરમાં કાપડનો ધંધો કરતો હોય અને મહિલા આરોપી ગીતા વાઘેલા મુંબઈમાં ફુલની લે-વેચનું કામ કરતી હોવાનું કબૂલાત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...