Friday, March 6, 2026

અમદાવાદમાં મોટી દુર્ઘટના : બાંધકામ સાઈટ પર સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા, 7 શ્રમિકોના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં. જેમાં સાતના મોત થયાં હતા અને એકને ગંભીર ઈજા પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સવારે 9.30 કલાકે આ ઘટના બની છે. અમદાવાદ પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બિલ્ડીંગના 13મા માળે સ્લેબ પર બિલ્ડીંગમાં લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યા હતાં.આ કામ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનના કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતા જ આઠેય શ્રમિકો એક સાથે નીચે પડ્યા હતા.

શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8માં માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા.પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતા 8માં માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. જેમાં 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા જ્યારે 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.

13 માળના બિલ્ડિંગમાં 25 ટકાનું કામ થઈ ગયું છે. લિફ્ટનો સ્લેબ ભરવા માટે સેન્ટ્રિગ લગાવતા હતા. પરંતુ વજન વધી ગયો હતો. 13મા માળેથી માઇનસ-2 બેઝમેન્ટમાં 8 શ્રમિકો પટકાયા હતા, આમ 15 માળ અને 45 મીટર જેટલી ઉંચાઈ પરથી પડ્યા હતા.

માઇનસ-2 બેઝમેન્ટમાં ભરાયેલું હોવાથી શ્રમિકોના લોહીથી પાણીનો રંગ પણ લાલ થઈ ગયો છે. અંદર સીડી પણ મૂકી છે જેના દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને પમ્પિંગ કરીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

મૃત્યુ પામનાર શ્રમિકો

સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...