Friday, March 6, 2026

નવા વાડજમાં આ સ્કૂલમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી, જયારે અન્ય શાળામાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના પ્રાઈમરી વિભાગના બાળકોએ રાષ્ટ્રીય હિન્દી દિવસની અનોખી ઉજવણી કરી હતી. જયારે બીજો એક કાર્યક્રમ ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.

ગત તા ૧૪ મી સપ્ટેમ્બરના રોજ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોસ્ટર તથા બેનર શાળા કેમ્પસમાં પ્રદર્શિત કર્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ હિન્દી ભાષાની મહત્વતા સમજાવતું વકતૃત્વ પણ આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ હિન્દી દિવસને અનુલક્ષી કાવ્ય રજૂ કર્યું હતું. શાળાના શિક્ષકોએ પણ હિન્દી દિવસ અનુલક્ષી કાવ્યને વિદ્યાર્થીઓ સમક્ષ અદભૂત રીતે રજૂ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની કામગીરીને શાળાના કેમ્પસ ડાયરેકટર જસ્મીનાબેન પટેલ તથા ટ્રસ્ટી સૌરભભાઈ પટેલે બિરદાવી હતી.

બીજા અન્ય કાર્યક્રમમાં નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હા.સે.સ્કૂલ, મંગુબા બાળવર્ગ, એમ એચ પ્રાથમિક સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે શાળાના આદ્ય સ્થાપક પરમ આદરણીય પ્રાતઃસ્મરણીય પ્રેમજીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા તેઓના સુપુત્ર શાળાના આચાર્ય દીપકભાઈ પટેલ અને એમના પુત્રવધુ ડો.અનિતાબેન પટેલ દ્વારા એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સમસ્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભોજન કરાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...