Monday, November 17, 2025

અમદાવાદમાં AMTSની નવરાત્રીમાં ધાર્મિક બસ પ્રવાસ યોજના, જાણો ક્યાં મંદિરોમાં દર્શન થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નવરાત્રીના તહેવાર દરમિયાન અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે, જેમાં એક બસ દીઠ રૂ. 2400 માં આઠ કલાક બુક કરાવી શકાશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરના ભદ્રકાળી મંદિર, મહાકાળી મંદિર સહીત અલગ અલગ કુલ 14 જેટલા મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે.

AMTS દ્વારા આગામી 26 સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ સારંગપુર અને મણીનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે.

આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરના વિવિધ 14 જેટલા મંદિરોમાં દર્શન મુસાફરો કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સીટીંગ અને 10 ઉભા અથવા 28 સીટીંગ અને 12 ઉભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવી અને બુકિંગ કરાવી, જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.

ક્યાં ક્યાં મંદિરોમાં દર્શન કરી શકશે

ભદ્રકાળી મંદિર(લાલ દરવાજા)
મહાકાળી મંદિર(દુધેશ્વર)
માત્રભવાની વાવ (અસારવા)
ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રીજ નીચે)
પદ્માવતી મંદિર(નરોડા)
ખોડિયાર મંદિર(નિકોલ)
હરસિધ્ધ માતા મંદિર(રખીયાલ)
બહુચરાજી મંદિર(ભુલાભાઇ પાર્ક)
મેલડીમાતાનું મંદિર(બહેરામપુરા)
હિંગળાજમાતાનું મંદિર (નવરંગપુરા)
વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
ઉમિયામાતાનું મંદિર(જાસપુર રોડ)
આઇ માતાનું મંદિર(સુઘડ)
કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...