Saturday, November 8, 2025

આગામી 4 અને 5 ડિસેમ્બરે 400 AMTS બસ ચૂંટણીની કામગીરી માટે ફાળવાઈ, મુસાફરો અન્ય વિકલ્પ શોધવો પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આગામી 5 મી ડીસેમ્બરે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનુ છે. જેને લઈને 4 અને 5 ડીસેમ્બરે AMTSની 400 જેટલી બસ વિધાનસભા ચૂંટણી માટે EVM સહિતની અન્ય સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી કરાશે.આ બે દિવસ માટે AMTSની મુસાફરી કરતા લોકો માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.

AMTS ની શહેરના સાત ઝોનમાં અંદાજે 600 થી વધુ બસ ઓનરોડ દોડાવવામાં આવી રહી છે.આ પૈકીની 400 બસ વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે આગામી 4 તથા 5 ડીસેમ્બરના રોજ ફાળવવામાં આવનાર છે.આ સ્થિતિમા AMTSની બસના મુસાફરોને બે દિવસ માટે BRTS ઉપરાંત મેટ્રો ટ્રેન સહિતના અન્ય વિકલ્પની પસંદગી કરવી પડશે.

શહેરના સાત ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની ૪૫૯ જેટલી શાળાઓ આવેલી છે.આ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ ૪૧૦૦ શિક્ષકોને ચૂંટણી કામગીરીની ફરજ સોંપવામા આવી છે.વિવિધ વિસ્તારમા આવેલી 459 શાળાઓ પૈકી 77 જેટલી શાળામા સ્થાનિક પોલીસ ઉપરાંત SRP અને CRPF સહિતના ચૂંટણી સંદર્ભમાં ફરજ બજાવવા આવનારા જવાનોના રહેવાની સગવડ માટે ફાળવવામા આવશે.ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમાં મતદાન કેન્દ્ર પણ ઉભા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...