Tuesday, September 16, 2025

ગુજરાત 2036ના ઓલિમ્પિક ગેમ્સના યજમાન બનવાની પ્રારંભિક તૈયારીઓ, કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી તૈયારીઓની સમીક્ષા

Share

Share

અમદાવાદ : ભારત વર્ષ 2036 માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીનો ધમધમાટ ચાલુ થઈ ગયેલો છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ યોજાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આવેલા વિશિષ્ટ અતિથિગૃહ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ઓલિમ્પિકના ધારા-ધોરણો અનુસાર અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ વોટર સ્પોર્ટ્સ અને માઉન્ટેન સ્પોર્ટ્સ સહિતની રમતો માટે જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ બાબતે પ્રાથમિક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર અને રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત વિભાગ દ્વારા આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, આગામી સમયની ત્રણ ઓલિમ્પિક ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે. ત્યારે વર્ષ 2036ના ઓલમ્પિકનું યજમાન પદ ભારતને મળી રહે તે માટે તૈયારીઓનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2036ના ઓલમ્પિક યજમાન પદની રેસમાં ભારત સાથે સાથે ઇન્ડોનેશિયા કતાર અને જર્મની પણ છે. ત્યારે ભારતને વર્ષ 2036 ની ઓલમ્પિકની યજમાની મળે તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...