Thursday, March 5, 2026

CM ભુપેન્દ્ર પટેલે ‘નાયક’ ફિલ્મની જેમ માણસામાં અચાનક એન્ટ્રી લેતા કર્મચારીઓ દોડતા થઇ ગયા

spot_img
Share

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા અને વિહારના ગ્રામજનોને આજે થયો હતો. બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પ્રકારની જાણ કર્યા વગર મુખ્ય સચિવને સાથે રાખી ગાંધીનગરના માણસાની સરપ્રાઇઝ વિઝીટ લેવા માટે પહોંચ્યા હતા.

આજે અમદાવાદ ખાતે ફ્લાવર શો ના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જીલ્લાના માણસામાં સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. મુખ્ય સચિવને સાથે રાખી માણસા તાલુકાના બાપુપુરા અને વિહાર ગામની આંગણવાડી અને પંચાયત ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આંગણવાડીમાં પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પણ ટકોર કરી હતી. સાથે સાથે ગામના આગેવાનો સાથે મુલાકાત લઇ તેઓની સમસ્યા સાંભળી હતી અને નિરાકરણ માટે ખાતરી આપી હતી.

આ મુલાકાત બાદ ગામમાં આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ફરજ પરના કર્મચારીઓ તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.લોકોએ તેઓની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...