Friday, February 6, 2026

અમદાવાદ પોલીસનું જાહેરનામું, ચાઈનીઝ દોરી સહિત આ મામલે પણ થશે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ઉતરાયણ નજીક આવતાની સાથે જ શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી લાવવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે. આ કારણે ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈને શહેર અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો કોઈ પણ વ્યક્તિ પાસે થી ચાઈનીઝ દોરીનો જથ્થો કે ટુક્કલ મળી આવે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતા લોકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની અલગ અલગ ટીમો અનેક જગ્યાએ વોચ રાખી રહી છે અને અત્યાર સુધીમાં શહેરમાં 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે, અને લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત બીજી તરફ પતંગ રસિકો દ્વારા ઉપયોગમાં લેવામા આવતી માંજા દોરીમાં પણ ઘાતક દોરીના બને અને વધુ પડતાં કાચનો ઉપયોગ ના કરે જેથી કરી ને કોઈપણ જીવ ને નુકસાન પહોંચે તે પ્રકારની સમજ પણ પતંગ રસિકોને આપવામાં આવી રહી છે. જો કે ચાઈનીઝ દોરી અને તુક્કલનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું હોવાની રજૂઆત પોલીસ ને મળતા પોલીસએ આ પ્રકારનું વેચાણ બંધ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમને પણ આ પ્રકારની વેબસાઇટ પર વોચ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...