Monday, November 17, 2025

શાહીબાગમાં ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગના સાતમા માળે આગ લાગવાનો કેસ, દાઝી ગયેલી 17 વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા 5 સભ્યમાંથી 4 લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે 17 વર્ષીય કિશોરી અંદર ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગે બેડરુમમાં ફસાયેલી કિશોરીનું રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં સાતમા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયરની 15 ગાડીઓની મદદથી બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી. જોકે આ આગની દુર્ઘટનામાં સાંતમા માળે ઘરમાં 5 સભ્યો હતા જેમાંથી એક 17 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. ફાયરની ટીમે 17 વર્ષીય કિશોરીને બચાવ્યા બાદ તેની હાલત ગંભીર હતી. જેથી કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું મોત થયું છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધર નગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. જોકે હજી સુધી આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તમામ 5 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપરના 3 માળના લોકોનું પણ રેસ્ક્યુ કરાયુ હતું. જોકે ગંભીર રીતે દાઝી જવાને કારણે 17 વર્ષીય કિશોરીનું મોત થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...