Sunday, March 15, 2026

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના PI, PSI સહિત તમામ પોલીસકર્મીઓની બદલી, જાણો કેમ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. SMC દ્વારા કરાયેલ દારૂની રેડ બાદ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની કિંમતની 11,366 બોટલ દારૂ જપ્ત કરીને ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ દારૂ વસ્ત્રાલના સોનું રાજપુત નામના બુટલેગરે મોકલ્યો હતો અને ત્રણ બુટલેગરોને સપ્લાય કરવાનો હતો.

મહત્વનું છે કે, મોટી માત્રામાં આ દારૂ ઝડપાયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...