Saturday, September 13, 2025

અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે અકસ્માત, એક સાથે લાખો વાહનચાલકો અટવાયા !

Share

Share

અમદાવાદ : આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી એક સાથે લાખો વાહનોના હોર્ન રણકવા લાગ્યા.એક સાથે ઠેર-ઠેર રસ્તાઓ પર ટ્રાફિકજામ થવા લાગ્યો….એક સાથે સંખ્યાબંધ રાહદારીઓને પણ રસ્તા વચ્ચે વાહનોની ભીડમાં અટવાવું પડ્યું. ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. એના જ કારણે એક સાથે સંખ્યાબંધ વાહનોના હોર્ન રણકવા લાગતા નોઈસ પોલ્યુશન પણ વધ્યું હતું. સાથે જ કેટલાંક ઠેકાણે લોકો નાના નાના અકસ્માતનો ભોગ પણ બન્યા હતાં. આ દરમિયાન અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર અકસ્માત સર્જાયો છે ઝીરો વિઝિબિલિટીને કારણે અકસ્માતનું અનુમાન છે. ડમ્પિંગ સાઈટ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં વાહનચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. નોંધનીય છે કે, ગાઢ ધુમ્મસમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરવા અપીલ છે.

એકબીજાને અડકીને વાહન ચલાવતા હોય છતાં આગળનું વાહન ન દેખાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ સ્થિતિ એવી છે કે, તમે પણ ઘરેથી નીકળતો તો સાચવજો, કારણકે, ઠંડીના કારણે આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી જાણી લેશો તો તમને આ અંગેની વિગતો મળી જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...