Monday, November 17, 2025

નારણપુરાના આ ટાવરમાં GHB ની બેદરકારી, AMC એ પાણીના કનેક્શન કાપી નાખ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાના નારણપુરા વિસ્તારમાં આવેલ ફેમસ સરદાર પટેલ નગરમાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ગુજરાતી કહેવત બંધબેસે છે. આ ટાવરમાં ફાયર NOC ન હોવાના લઈને AMC દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે રહીશોએ બોરનું પાણી પીવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપ અને સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાના કારણે પણ લોકોને અનેક હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં વર્ષ 2017માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત GHB દ્વારા સરદાર પટેલ નગર નામે 28 ટાવરમાં 1400 જેટલા ફ્લેટો બનાવવામાં આવ્યા હતા.ફાયરના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર NOC હોવી જરૂરી છે છતાં પણ ફાયર NOC લેવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ GHB દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપો નાખવામાં આવી છે અને આવી સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી.

ફાયર બ્રિગેડની NOC ન હોવાના કારણે AMC દ્વારા તેઓના પાણીના કનેક્શન છેલ્લા 12 દિવસથી કાપી નાખવામાં આવ્યા છે. એના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાથી બોરનું પાણી પીવાની ફરજ પડે છે. ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને હાલાકી પડે છે. આ ઉપરાંત સરદાર પટેલ નગરમાં પાર્કિંગની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ AC અને AD બ્લોકના બેઝમેન્ટમાં પાર્કિંગ ખોલવા માટે જણાવવામાં આવ્યું છે છતાં પણ પાર્ટીશન ખોલી આપવામાં આવ્યું નથી. રહીશો આક્ષેપ કર્યા છે કે, GHBની બેદરકારીના કારણે નર્મદાના પાણી અને પાર્કિંગની સમસ્યાથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...