Sunday, February 15, 2026

નારણપુરાના આ ટાવરમાં GHB ની બેદરકારી, AMC એ પાણીના કનેક્શન કાપી નાખ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાના નારણપુરા વિસ્તારમાં આવેલ ફેમસ સરદાર પટેલ નગરમાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ગુજરાતી કહેવત બંધબેસે છે. આ ટાવરમાં ફાયર NOC ન હોવાના લઈને AMC દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે રહીશોએ બોરનું પાણી પીવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપ અને સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાના કારણે પણ લોકોને અનેક હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં વર્ષ 2017માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત GHB દ્વારા સરદાર પટેલ નગર નામે 28 ટાવરમાં 1400 જેટલા ફ્લેટો બનાવવામાં આવ્યા હતા.ફાયરના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર NOC હોવી જરૂરી છે છતાં પણ ફાયર NOC લેવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ GHB દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપો નાખવામાં આવી છે અને આવી સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી.

ફાયર બ્રિગેડની NOC ન હોવાના કારણે AMC દ્વારા તેઓના પાણીના કનેક્શન છેલ્લા 12 દિવસથી કાપી નાખવામાં આવ્યા છે. એના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાથી બોરનું પાણી પીવાની ફરજ પડે છે. ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને હાલાકી પડે છે. આ ઉપરાંત સરદાર પટેલ નગરમાં પાર્કિંગની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ AC અને AD બ્લોકના બેઝમેન્ટમાં પાર્કિંગ ખોલવા માટે જણાવવામાં આવ્યું છે છતાં પણ પાર્ટીશન ખોલી આપવામાં આવ્યું નથી. રહીશો આક્ષેપ કર્યા છે કે, GHBની બેદરકારીના કારણે નર્મદાના પાણી અને પાર્કિંગની સમસ્યાથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...