Wednesday, September 17, 2025

નારણપુરાના આ ટાવરમાં GHB ની બેદરકારી, AMC એ પાણીના કનેક્શન કાપી નાખ્યા

Share

Share

અમદાવાદ : અમદાવાના નારણપુરા વિસ્તારમાં આવેલ ફેમસ સરદાર પટેલ નગરમાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ગુજરાતી કહેવત બંધબેસે છે. આ ટાવરમાં ફાયર NOC ન હોવાના લઈને AMC દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે રહીશોએ બોરનું પાણી પીવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપ અને સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાના કારણે પણ લોકોને અનેક હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં વર્ષ 2017માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત GHB દ્વારા સરદાર પટેલ નગર નામે 28 ટાવરમાં 1400 જેટલા ફ્લેટો બનાવવામાં આવ્યા હતા.ફાયરના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર NOC હોવી જરૂરી છે છતાં પણ ફાયર NOC લેવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ GHB દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપો નાખવામાં આવી છે અને આવી સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી.

ફાયર બ્રિગેડની NOC ન હોવાના કારણે AMC દ્વારા તેઓના પાણીના કનેક્શન છેલ્લા 12 દિવસથી કાપી નાખવામાં આવ્યા છે. એના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાથી બોરનું પાણી પીવાની ફરજ પડે છે. ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને હાલાકી પડે છે. આ ઉપરાંત સરદાર પટેલ નગરમાં પાર્કિંગની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ AC અને AD બ્લોકના બેઝમેન્ટમાં પાર્કિંગ ખોલવા માટે જણાવવામાં આવ્યું છે છતાં પણ પાર્ટીશન ખોલી આપવામાં આવ્યું નથી. રહીશો આક્ષેપ કર્યા છે કે, GHBની બેદરકારીના કારણે નર્મદાના પાણી અને પાર્કિંગની સમસ્યાથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...