Sunday, November 9, 2025

નારણપુરાના આ ટાવરમાં GHB ની બેદરકારી, AMC એ પાણીના કનેક્શન કાપી નાખ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાના નારણપુરા વિસ્તારમાં આવેલ ફેમસ સરદાર પટેલ નગરમાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ગુજરાતી કહેવત બંધબેસે છે. આ ટાવરમાં ફાયર NOC ન હોવાના લઈને AMC દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે રહીશોએ બોરનું પાણી પીવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપ અને સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાના કારણે પણ લોકોને અનેક હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં વર્ષ 2017માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત GHB દ્વારા સરદાર પટેલ નગર નામે 28 ટાવરમાં 1400 જેટલા ફ્લેટો બનાવવામાં આવ્યા હતા.ફાયરના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર NOC હોવી જરૂરી છે છતાં પણ ફાયર NOC લેવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ GHB દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપો નાખવામાં આવી છે અને આવી સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી.

ફાયર બ્રિગેડની NOC ન હોવાના કારણે AMC દ્વારા તેઓના પાણીના કનેક્શન છેલ્લા 12 દિવસથી કાપી નાખવામાં આવ્યા છે. એના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાથી બોરનું પાણી પીવાની ફરજ પડે છે. ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને હાલાકી પડે છે. આ ઉપરાંત સરદાર પટેલ નગરમાં પાર્કિંગની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ AC અને AD બ્લોકના બેઝમેન્ટમાં પાર્કિંગ ખોલવા માટે જણાવવામાં આવ્યું છે છતાં પણ પાર્ટીશન ખોલી આપવામાં આવ્યું નથી. રહીશો આક્ષેપ કર્યા છે કે, GHBની બેદરકારીના કારણે નર્મદાના પાણી અને પાર્કિંગની સમસ્યાથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...