Saturday, February 7, 2026

રિડેવલપમેન્ટને લઈને હાઉસિંગ બોર્ડની લાલ આંખ : નવા વાડજની આ સોસાયટીમાં અસંમત એકમાત્ર સભ્યનું ઘર સીલ કરી દીધું

spot_img
Share

અમદાવાદ : નવા વાડજની ગુજરાત હાઉસિંગ બોર્ડની કિરણપાર્ક સોસાયટીમાં રાજ્ય સરકારની 75-25 ટકા રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ અસંમત સભ્યનું મકાન સીલ કરી દેતા રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો બન્યો છે.ગુજરાત હાઉસિંગ બોર્ડે ઇવેક્શન પ્રક્રિયા હેઠળ કરેલી 3 સુનાવણીમાં 24 માંથી કુલ 5 સભ્યો સંમત થઇ ગયા હતાં અને એક સભ્ય સુનાવણીમાં હાજર રહેતો નહોતો અને તેણે પોતાનું ઘર બંધ કરી દીધું હતું. બોર્ડે બુધવારે પંચનામું કરીને બંધ મકાનનો કબજો લઇને નોટિસ ચોંટાડી મકાન સીલ મારી દીધું છે અને હવે રિડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી કરીને મકાન તોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ નોટિસને સમય મર્યાદામાં અરજદાર હાઇકોર્ટમાં પડકારી શકે છે.

નવા વાડજની કિરણ પાર્ક હાઉસિંગ સોસાયટીમાં 24 મકાનો છે. આમાંથી 18 મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપતા ફેબ્રુઆરી-2022માં ઓનલાઇન ટેન્ડર મંગાવાયા હતાં. ટેન્ડર બાદ ડેવલપર્સ ફાઇનલ થયો હતો. પરંતુ 25 ટકા સભ્યો અસંમત હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બોર્ડના સક્ષમ અધિકારી દ્વારા સમયાંતરે નોટિસ ઈશ્યૂ કરીને ત્રણ સુનાવણી કરી હતી. સુનાવણીમાં 24માંથી અસંમત છ સભ્યોને હાજર રહેવા ફરમાન કરાયું હતું. જેમાં પાંચ સભ્યોએ પોતાની સંમતિ આપી દીધી હતી. જ્યારે એક સભ્ય હાજર પણ રહ્યો નહતો અને તેણે પોતાનું મકાન પણ બંધ કરી દીધું હતું.આખરે હાઉસિંગ બોર્ડે મકાનનો કબજો લઇને નોટિસ ચોંટાડી મકાન સીલ મારી દીધું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...