Wednesday, September 17, 2025

શિક્ષણમાં આ ‘ભાર’ ઘટાડો, સ્કૂલ બેગને લઈને વાલી મંડળે ઉઠાવી માંગ

Share

Share

અમદાવાદ : સ્કૂલ બેગના વજનને લઈને વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે. તેમજ 2023 થી કેટલું વજન રાખવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડે તેવી વાલી મંડળની માંગ છે. અત્યારે અનેક સ્કૂલો બાળકની કેપેસિટી કરતા વધુ પુસ્તકો મંગાવે છે. બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં રજુ કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, બાળકોના સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં 10 ટકા હોવું જોઇએ. જોકે, આ પ્રસ્તાવ એટલો કઈ ખાસ અમલમાં મૂકવામાં આવ્યો ન હતો અને સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઇએ તેના અંગે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા પણ ઘડાય નથી. બીજી તરફ નાના ભૂલકાઓ તેમના વજન કરતાં વધારે વજન વાળી સ્કૂલ બેગ ઊંચકવાની લાંબા ગાળે કરોડરજ્જુ ઉપર સીધી અસર પડે છે.જેનાં કારણે બાળકો કરોડરજ્જૂની સ્કોલિયોસિસની સમસ્યા ઉભી થતી જોવા મળે છે. અપ્રમાણસર ખભા, અપ્રમાણસર કમર, કેડના સાંધાનો ભાગ ઉપર-નીચે જેવા તેના લક્ષણો છે.

જેનાં પગલે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, કે.જી થી ધોરણ – 8 સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ સ્કૂલે લઈ જાય એવો વર્ષ – 2023નો ઠરાવ કરવામાં આવે.બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...