Thursday, November 13, 2025

શિક્ષણમાં આ ‘ભાર’ ઘટાડો, સ્કૂલ બેગને લઈને વાલી મંડળે ઉઠાવી માંગ

spot_img
Share

અમદાવાદ : સ્કૂલ બેગના વજનને લઈને વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે. તેમજ 2023 થી કેટલું વજન રાખવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડે તેવી વાલી મંડળની માંગ છે. અત્યારે અનેક સ્કૂલો બાળકની કેપેસિટી કરતા વધુ પુસ્તકો મંગાવે છે. બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં રજુ કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, બાળકોના સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં 10 ટકા હોવું જોઇએ. જોકે, આ પ્રસ્તાવ એટલો કઈ ખાસ અમલમાં મૂકવામાં આવ્યો ન હતો અને સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઇએ તેના અંગે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા પણ ઘડાય નથી. બીજી તરફ નાના ભૂલકાઓ તેમના વજન કરતાં વધારે વજન વાળી સ્કૂલ બેગ ઊંચકવાની લાંબા ગાળે કરોડરજ્જુ ઉપર સીધી અસર પડે છે.જેનાં કારણે બાળકો કરોડરજ્જૂની સ્કોલિયોસિસની સમસ્યા ઉભી થતી જોવા મળે છે. અપ્રમાણસર ખભા, અપ્રમાણસર કમર, કેડના સાંધાનો ભાગ ઉપર-નીચે જેવા તેના લક્ષણો છે.

જેનાં પગલે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, કે.જી થી ધોરણ – 8 સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ સ્કૂલે લઈ જાય એવો વર્ષ – 2023નો ઠરાવ કરવામાં આવે.બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...