Friday, March 13, 2026

નિર્ણયનગરમાં અર્જુન આશ્રમ પાસેથી ડબ્બા ટ્રેડીંગનો વેપલો કરતા યુવકની પોલીસે ધરપકડ કરી

spot_img
Share

અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ અર્જુન આશ્રમ રોડ પર વાડજ પોલીસે શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ કરી ગેરકાયદે વેપલો કરતા યુવકને શુક્રવારે ઝડપ્યો હતો. યુવકના ફોનમાંથી મેટા ડ્રેડર્સ-5 નામની એપ મળી આવતા વાડજ પોલીસે ડબ્બા ટ્રેડીંગ કરી દેશના અર્થતંત્રને નુકશાન કરવાના ગુનાઈત કૃત્યની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાડજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાણીપની રામદર્શન સોસાયટીમાં રહેતાં જયમીન કમલેશકુમાર પટેલ (ઉં,૨૯)ની ધરપકડ કરી હતી. જયમીનના મોબાઈલ ફોનમાંથી મેટા ટ્રેડર્સ-5 નામની એપ મળી હતી.આ એપથી શેરબજાના ક્રેડીટ અને ડેબીટના સોદા યુવક કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેરકાયદેસર એપ્લીકેશન દ્વારા આરોપીઓ શેર લે-વેચના સોદા કરી દેશના અર્થતંત્રને નુકશાન કરવાનું ગુનાઈત કૃત્ય આચરતા હતા.

વાડજ પોલીસે યુવકનો મોબાઈલ ફોન રૂ.20 હજારનો જમા લઈ જયમીન વિરૂદ્ધ આઈપીસીની કલમ 406, 420, તેમજ ધી સિક્યુરીટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 23 (ઈ), (એફ), (જી), (એચ), (આઈ) તથા જુગારધારાની કલમ 12 (અ) મુજબ ગુનો દાખલ કરી એપ્લિકેશન આપનાર તેમજ બનાવનાર શખ્સો અંગે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...