Wednesday, March 18, 2026

ન્યુ રાણીપના વ્યાજખોર દંપતી વિરુદ્ધ ફરિયાદ, રૂ.10 લાખ સામે મહિલાએ 7.80 ચૂકવ્યા બાદ રૂ.18 લાખ માગ્યા

spot_img
Share

અમદાવાદ : ચાંદલોડિયામાં રહેતી મહિલાએ ન્યુ રાણીપના વ્યાજખોર પતિ-પત્ની પાસેથી સાત ટકા વ્યાજે 10 લાખ લીધા હતા. જે તે સમયે વ્યાજખોર પતિ-પત્નીએ મકાનના વેચાણ કરાર કરાવી દસ્તાવેજો મેળવી લીધા હતા. મહિલાએ 7.80 લાખ ચૂકવી આપ્યા બાદ પણ વ્યાજખોરો વધુ રૂ.18 લાખની માગણી કરી મકાન વેચવાની તથા મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતાં હતાં. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદલોડિયાના શક્તિનગરમાં રહેતાં સુનિતાબેન કનૈયાએ સોલા હાઈ કોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2020માં તેમના ભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે ન્યુ રાણીપમાં રહેતા દીપક પટેલ તથા તેમની પત્ની અંજના પાસેથી સાત ટકા વ્યાજે 10 લાખ લીધા હતા. તે સમયે આ બંનેએ મકાન વેચાણનું લખાણ કરી મકાનના તમામ અસલ દસ્તાવેજ મેળવી લીધા હતા. બાદમાં પૈસા અને વ્યાજ ચૂકવી આપશો તો મકાન પરત આપી દેવાની વાત કરી હતી.

ફરિયાદ મુજબ સુનિતાબેને ધીમે ધીમે 7.80 લાખ ચૂકવી આપ્યા હતા. છતાં દીપક અને અંજનાએ કહ્યું હતું કે, ‘હવે તમારે રૂ.18 લાખ મૂડી અને વ્યાજ પેટે ચૂકવવા પડશે અને જો 18 લાખ નહીં ચૂકવો તો તમારું મકાન બીજાને વેચી દઈશું.’ બાદમાં આ બંને વ્યાજખોરો અવારનવાર ઉઘરાણીએ આવી ધમકી આપતા હતા, જેથી તંગ આવીને સુનિતાબેને દીપક પટેલ અને તેની પત્ની અંજના પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...