Saturday, November 8, 2025

સગીર સંતાનોને વાહન આપતા વાલીઓ સાવધાન : ટુ-વ્હીલર સ્લીપ થતાં સગીરનું મોત, વાહન આપનારા પિતાની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સંખ્યાબંધ વાલી પોતાના સગીર સંતાનોને સ્કૂલે કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે ટુ-વ્હીલર આપતા હોય છે, આવા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર પર સ્કૂલે જવા નીકળી હતી. સ્કૂલે જતી વખતે તેણે સોસાયટીમાં જ રહેતા સગીરને વાહન ચલાવવા આપ્યું હતું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે ટુ-વ્હીલર સ્લીપ થતાં બંને જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં સગીરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે સગીરાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. આ કેસમાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ 16 વર્ષની દીકરી ભૂમિને સ્કૂલે જવા ટુ-વ્હીલર આપ્યું હતું. ભૂમિએ સ્કૂલે જતી વખતે દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપ્યું હતું. સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ ગયું હતું. બંનેને ગંભીર ઈજા થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા જ્યાં સગીરનું મોત થયું હતું.

ભૂમી સગીર હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે.રબારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. સગીરા પાસે લાઇસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ પીઆઈ પોતે ફરિયાદી બન્યા હતા અને સગીરાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે શહેરમાં સંખ્યાબંધ વાલી પોતાના સગીર સંતાનોને સ્કૂલે કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે ટુ-વ્હીલર આપતા હોય છે. આ કિસ્સો તેમના માટે ચેતવણીરૂપ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...