Tuesday, February 10, 2026

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા ખાતે ફનફેર, વિજ્ઞાનમેળો તથા ફૂડ ફેસ્ટિવલ યોજાયો, વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા દ્વારા તારીખ 13 થી 15 ફેબ્રુઆરી દરમ્યાન ફનફેર, વિજ્ઞાનમેળો તથા ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અક્ષર પ્રાથમિક શાળા દ્વારા યોજાયેલ ફનફેર, વિજ્ઞાનમેળો તથા ફૂડ ફેસ્ટિવલમાં બાળકોએ મન મૂકીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વિજ્ઞાનમેળો સાથે ફનફેરમાં અનેક ગેમમાં ઇનામોની જીત સાથે ફૂડ ફેસ્ટિવલ જેમ બાળકોને ખીચું, પાણીપુરી અને ભાજીપાંઉ જેવી વાનગીઓ માણવામાં મોજ પડી ગઈ. એમાં વળી બાળકોએ બનાવેલ વિજ્ઞાનની કૃતિઓ અને વિવિધ પ્રોજેક્ટસ અને તેની સમજૂતી આખા આયોજનની મુખ્ય છબી બનીને ઉભરી આવી.

શાળાના આચાર્ય અક્ષરભાઈ જોશીના કહેવા મુજબ કોરોનાના કપરા કાળ પછી બાળકોને ફરી એકવાર એક આનંદના બુસ્ટર ડોઝની અનિવાર્યતા જણાતા, આ કાર્યક્રમનું આયોજન કરાયું જેનાથી તેનો ઉદ્દેશ્ય પણ સિદ્ધ થયો. આખા કાર્યક્રમની વિશેષતાઓ એ હતી કે બધી જ વાનગીઓ શિક્ષકોએ પોતાના હાથે બનાવી.

અક્ષરભાઈએ વિનમ્રતાથી મિર્ચી ન્યુઝને માહિતગાર કર્યા કે વિજ્ઞાન મેળાના દરેક પ્રોજેક્ટ માટે બાળકોને ઘરનો ખર્ચો ન થાય તે માટે શાળા તરફથી મોટાભાગનું ફંડિંગ અપાય છે. બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક ઉત્સુકતા ને યોગ્ય દિશા મળે અને તેમના મનમાં ઉઠતા વિજ્ઞાનને લગતા પ્રશ્નોના ઉત્તર તેમના બનાવેલ પ્રોજેક્ટમાંથી જ મેળવે તો ભાવિમાં દેશને કદાચ કોઈ કલામ સાહેબ કે વિક્રમ સારાભાઈ સાહેબ મળી શકે.

PM મોદી સાહેબની શીખને ધ્યાનમાં લેતાં શાળા એ માત્ર ભણતર નહી પરંતુ બાળકને વ્યવહારિક જ્ઞાન આપનાર કેન્દ્રબિંદુ બને તો તેના જીવનનું ચક્ર હંમેશા ગતિ કરે અને તેની સાથે સાથે દેશની પણ ઉન્નતિ થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...